Mysamachar.in-જામનગર:
લોકડાઉન પાર્ટ-2 ની અમલવારી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, અને જાહેરનામાં ભંગના રોજ થોકબંધ કેસો પણ પોલીસ દ્વારા જુદા જુદા પોલીસમથકોમાં નોંધવામાં આવે છે, પણ અમુક લોકો આર્થિક મજબુર થઈને પણ ધંધાઓ ખોલવા મજબુર બન્યા છે, પણ આજે જામનગર જીલ્લાના કાલાવડ અને જામનગર શહેરમાં નોંધાયેલ એક કેસ વાંચવા જેવા છે, જેમાં શહેરના સ્વામિનારાયણ નગરમાં વસવાટ કરતા ધર્મેશ પોપટ અને ઋષિ પોપટ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ઘૂઘરાનુ ઉત્પાદન કરી ગ્રાહકોને વેચાણ માટે આપી રહ્યા હોવાની વાસ્તવિકતા સામે આવતા lockdown ના નિયમોનો ભંગ થતો હોવાથી બંને ભાઈઓને ઘુઘરા બનાવતા અને વેચાણ કરતા હોય જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધ્યો છે,
આ ઉપરાંત કાલાવડ ની બજારમાં આવેલી મુસ્તુફા ભાઈ કુદરતીની ઇલેક્ટ્રિકની દુકાન પર સોશિયલ distance નો અભાવ જોવા મળ્યો હતો લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જે બાબત તંત્રને ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક આ દુકાન પર પહોંચી દુકાનના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી, કાલાવડના બીજા કિસ્સામાં સબીરભાઈ નામના બુટ ચપ્પલના દુકાનદારે આજે તેમની દુકાન વેચાણ અર્થે ચાલુ કરી હતી અને દુકાનમાં લોકોના ટોળા ભેગા થઇ જતાં તેઓએ સોશિયલ distance ભંગ કર્યો હોવાથી તંત્રએ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.