Mysamachar.in-જામનગર:
આમ તો ફટાકડા એટલે દારૂગોળો…જયારે દિવાળીના પર્વ પર કોઈ વેપારીઓ ફટાકડા વેચાણ કરવા માંગતા હોય તો તેવોએ નિયત નમૂનામાં ફોર્મ ભરી અને નિયમો અનુસરી પ્રાંત અધિકારી અને ફાયર વિભાગ પાસેથી મંજુરી લેવાની હોય છે, પણ જામનગર શહેરમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ ફટાકડા વેચાણ કરવાની મંજુરી અને ફાયરના NOCની એક બે ને ત્રણ કરી ઠેર-ઠેર જાહેર રસ્તાઓ પર ફટકડા બિન્દાસ્ત વેચાણ થઇ રહ્યા છે,
રાજ્યના અન્ય મહાનગરોની જેમ જામનગર શહેરમાં ફાયર એનઓસી વિના ઠેર ઠેર જાહેર રસ્તાઓ પર ફટાકડાના સ્ટોલ્સના રાફડા ફાટી નીકળ્યા છે, જે કોઈનો જીવ જોખમમાં મૂકી શકે છે,જો કે ગઈકાલે ફાયર વિભાગ પણ જાણે જાગ્યું હોય તેમ કેટલાક સ્ટોલ્સ જે જાહેરરસ્તાઓ પર લાગેલા છે, તેમાં એનઓસી છે કે કેમ તેની તપાસણી હાથ ધરી હતી, આશ્ચર્યની વાત એ છે કે આટલા મોટા જામનગર શહેરમાં હાલ 200 થી વધુ સ્થળોએ ફટાકડાના સ્ટોલ્સ લાગ્યા છે, અને હજુ લાગી રહ્યા છે ત્યારે મંજુરી માત્ર 25 ને NOC ફાયર દ્વારા અપાઈ છે, તો બાકીના ફટાકડાના બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા ફટાકડાના સ્ટોલ્સ અને લારીઓ જે જાહેર રસ્તાઓ પર જ્યાં હજારો લોકોની અવરજવર છે ત્યાં કોઈ મોટી દુર્ઘટનાઓની શક્યતાઓ નકારી શકાતી નથી.અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર સી.એસ.પાંડિયને કહ્યું કે આ અંગે NOC આપવાની કાર્યવાહી અને તપાસની કામગીરી ચાલી રહી છે.