Mysamachar.in-જામનગર:
ગુજરાત વિધાનસભા ચુંટણીઓ પહેલા એક તરફ સતાધારી પક્ષે તો અમુક મુરતીયાઓની યાદીઓ કરી પણ લીધી છે, છતાય હજુ સામાજીક સમીકરણોને ટીકીટ મા્ગણીએ મોવડીઓ જે સતાધારી પક્ષના છે, તેમના માટે પડકાર છે કેમ કે દરેક સમાજની કઇક ને કઇક ખુબીને વિશેષતાને માંગ હોય છે તે સ્વીકારવી જરૂરી બની રહે છે…ને સમતોલન કરવુ એ રાજકારણમા ફાયદારૂપ બને છે તેવુ વિશ્લેષણ બહાર આવ્યુ છે,
બીજી તરફ ચિંતાની બાબત એ પણ છે કે વર્ગ વિભાજન કરતા અમુક નેતાઓને તે વસમુ પડી શકે કેમકે દરેક સમાજના ઉમેદવારને તેના સમાજના સો ટકા મત મળી શકે..? તે અંગે પણ ખાનગી સર્વે થયા છે, ને થાય પણ છે વળી દરેક બેઠક દીઠ ત્રણ ત્રણ નેતાઓને જવાબદારી સોંપાઇ છે, અને હવે નક્કી મુરતીયાઓમાથી ફેરફારનો અવકાશ પચીસ ત્રીસ ટકા છે તે છેલ્લે સુધી ચાલશે ને મુખ્ય વિપક્ષને પણ ગોટે ચડવુ પડશે તો વળી તમામ 182 બેઠક મળવાનો દાવો ઘટાડી સતાધારી પક્ષે 150-151નુ લક્ષ્ય જાહેર કર્યુ છે.? તો મુખ્ય વિપક્ષે 125 બેઠક જીતવાનો દાવો કર્યો જ છે અને એકંદર….વચનેસુ કિમ દરિદ્રમ વાળી વાત છે પરંતુ બંને પક્ષમા આંતરીક સમરાંગણ બહુ છે જે શીરદર્દ બની શકે છે,.
પટેલ સમાજ, કોળી સમાજ, આહીર સમાજ, બિનઅનામત સમાજ, ક્ષત્રીય સમાજ, બક્ષીપંચ આદીવાસી, ઠાકોર વગેરે અનેક સમાજોએ વારંવાર એકતાનો રાહ ચીંધ્યો છે, આ એકતા સંગઠીતતા મદદ કરવાનીને એક જુથ થઇ રહેવાની તેમજ યોગ્ય સમયે અસરકારક અને તર્કબદ્ધ રજુઆત માંગણી વગેરે કરવાની પદ્ધતિ યોગ્ય લાગતા અન્ય સમાજો પણ આ બાબત અપનાવે છે તો ખોટુ શુ છે.? રાજકીય પક્ષો આ બાબતે ગંભીરતા લે તે જરૂરી..
બીજી તરફ વિચારીએ તો સામાજીક માગણી સ્વીકારાય એકંદર તો ખોટુ નથી ઉલટુ સમાજ ઉત્કર્ષ અને એકંદરે સમગ્રપણે વિસ્તાર ગામ શહેર જિલ્લાના ઉત્કર્ષ માટે ભેદભાવ વગર કામ થશે કેમકે જ્યારે કોઇ પણ સમાજની વ્યક્તિ ચુંટાશે તો તે તટસ્થ ભાવથી સંતુલીત જન સેવા કરવાના જ છે જે તક માંગી છે, તે પોતાના સમાજનુ ગૌરવ વધારવા માંગી હોય છે….તે સમજવુ જોઇએ તેમજ યુવાઓ અને મહિલાઓને પ્રાધાન્ય અપાશે તે વાત મુખ્ય બંને પક્ષ કરે છે પરંતુ કુલ બંનેની 32 મહિલા 2012 મા અને તેથીય ઓછી 2017 મા હતી તો યુવાનો 25 થી 45 ના બહુ તો 48 કે 50 ની વય તો માત્ર 30 ટકાજ હતા બાકી તમામ વડીલો ખુબ જુના કે સિનિયરો કે સિનિયર સીટીઝન પણ હતા.જીતનુ ગણીત મોદી આધારીત હોય….કાં સતાધારી પક્ષની લોકપ્રિયતા હોય કે માપદંડ વિકાસ હોય તો….ગમે તે ઉમેદવાર સતાધારી પક્ષના ચુંટાઇ જવા જોઇએ ને? પરંતુ સાવ તેવુ નથી…અમુક ટકા ઉમેદવારની લોકપ્રિયતા કે પ્રજાલક્ષી મેદાન મારી જાય.જોઈએ આગામી ચુંટણીમાં શું થાય છે,પણ જ્યાં સુધી નામો જાહેર ના થાય ત્યાં સુધી તમામ વાતો જો અને તો માં જ લોકમુખે ચાલવાની છે.