Mysamachar.in-જામનગર:
આજના સમયમાં કેટલીય દીકરીઓ સામે વાળા પાત્રની પુરતી તપાસ કે ખરાઈ કર્યા વિના પોતાના પરિવારજનોની સહમતી સાથે કે સહમતી વિના લગ્ન કરે છે અને બાદમાં પસ્તાવાનો વારો આવે છે, એવામાં આજે જામનગર પોલીસ ચોપડે નોંધાયેલ આપઘાતના દુષ્પ્રેરણનો ગુન્હો પ્રેમલગ્ન કરતી દીકરીઓ માટે ચેતવણી સમાન પણ છે. આ કિસ્સાની પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ…
જામનગર શહેરમાં વસવાટ જીતેન્દ્રભાઇ શંકરલાલ હરવરા નામના વ્યક્તિની બહેન મિતલબેને પરેશ રાજેશભાઈ પાઠકની સાથે ભાગીને પ્રેમલગ્ન કરેલ હોય, જેથી તે માવતરેથી કાંઇ લઇ આવેલ ન હોય, જેથી લગ્ન બાદ તેનો પતિ પરેશ પોતાનું ઘર ચલાવવા માટે તેના માવતરેથી રૂપિયા લઇ આવવા માટે અવાર-નવાર દબાણ કરીને માંગણી કરતો હોય, તેમજ પરેશને શિતલ નામની કોઈ છોકરી સાથે આડાસબંઘ હોવાથી પોતાની પત્ની મિતલ સાથે અવાર-નવાર ઝઘડા કરીને શારીરિક-માનસિક દુ:ખ ત્રાસ આપી હેરાન કરતો હોય માર મારેલ હોય અને પોતાનું ઘર ચલાવવા માટે અવાર-નવાર રૂપિયાની માંગણી કરતો હોય જેનાથી તથા શારીરિક-માનસિક દુ:ખ ત્રાસથી કંટાળી જઇને મિતલબેનને મરવા મજબુર કરતા મિતલબેને પોતે પોતાની મેળે તેના સાસરે તેના મકાનના નીચેના રસોડા પાસેના રૂમના પંખાના હુકમાં પોતાની ચુંદડી વડે જાતેથી ગળાફાસો ખાઇ લેતા મૃતક બેનના ભાઈ દ્વારા સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પરેશ રાજેશ પાઠક વિરુદ્ધ પોતાની બેનને મરી જવા મજબુર કર્યા સબબની ફરિયાદ નોંધાઈ છે.