જામનગર:
જામનગરના ટેક્સ સલાહકારની પત્ની સાથે 51 લાખની છેતરપીંડીનો મામલો પોલીસ ફરિયાદ બાદ સામે આવ્યો છે, મીઠુ પકવવા માટેની જમીનના લીઝ ટ્રાન્સફરની ફી પેટે રકમ ટ્રાન્સફર કરી આપ્યા બાદ આરોપીઓએ વિશ્વાસઘાત છેતરપીંડી કરી અને જાનથી મારી નાખવાની ધમકી મામલો પોલીસમાં પહોચ્યો છે,
સીટી બી ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ વિગતો મુજબ જામનગરના પટેલ કોલોની શેરી નં.4 માં વસવાટ કરતા ટેક્સ સલાહકાર અક્ષત પરેશકુમાર વ્યાસ દ્વારા ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના ભારાબેરાજા ગામના દલુ કારા રૂડાચ અને ગાંધીનગરના મહેશ કારા રૂડાચ વિરુઘ્ધ આઇપીસી કલમ 406,420, 506(2), 114 મુજબ ફરીયાદ નોંધાવી છે.
ગત માર્ચ-2021 થી આજ સુધીના સમયગાળા દરમ્યાન આરોપીઓએ ભેગા મળી અરૂણા શીપીંગ કંપનીની રાપર-કચ્છ ખાતે આવેલ મીઠુ પકવવા માટેની જમીનનું કંપનીએ દલુ રૂડાચને કુલમુખત્યારનામું કરી આપ્યુ હતું જે રદ કરી નાખેલ હોવાનું દલુ પોતે જાણતો હોવા છતાં આ કુલમુખત્યારનામું ચાલુ છે તેમ જણાવી કંપનીની જમીનની લીઝ ફરીયાદીની પત્ની નોકરી કરે છે તે કંપનીની પેટા કંપની સબેજા કંપનીના નામે ટ્રાન્સફર કરી આપવાનું કહયુ હતું.
દરમ્યાનમાં લીઝ ટ્રાન્સફર લાઇઝનીંગ ફી પેટે ફરીયાદીની પત્નીની પ્રિમીયર ફાર્મસ્ટેટ કંપનીના ખાતામાંથી આરોપીના ખાતામાં રૂપિયા. ૫૧ લાખ ટ્રાન્સફર કરી આપવા છતા કોઇ લીઝ નહીં અપાવી હતી. ઉપરાંત લીઝ નહી આપી કે તે માટે કોઇ પ્રયત્ન નહીં કરી ઉપરાંત ફરીયાદીને પૈસા પરત નહીં આપી છેતરપીંડી, વિશ્વાસઘાત કર્યો હતો.
તેમજ ફરીયાદીએ આરોપી દલુ પાસે પૈસાની ઉઘરાણી કરતા ફરીયાદી અક્ષતભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ એકબીજાને મદદગારી કર્યા સબંધેની ફરિયાદ નોંધાતા આગળની તપાસ હવે પીએસઆઇ બી.બી. કોડીયાતર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.