Mysamachar.in-જામનગર:
હોમગાર્ડઝ દળ તાલીમ અને શિસ્તને વરેલું દળ છે આ દળની સ્થાપનાં દળના જવાનોને તાલીમ, અનુસાશન, નિષ્ઠા અને સેવા કાર્યો કરવા માટે તૈયાર કરવા અસ્તિત્વમાં આવેલ છે અને જ્યારે જરૂર પડે ત્યારે પોલીસની અવેજીમાં ફક્ત કાયદો અને વ્યવસ્થાની ફરજો નિભાવવાની હોય છે.
હોમગાર્ડઝ દળમાં તાલીમને સૌ પ્રથમ અગ્રતા આપવામાં આવે છે જેનાં માટે દર માસે કુલ ચાર પરેડ રાખવામાં આવે છે જેમાંથી દરેક જવાનોને બે પરેડ ફરજયાત કરવાની હોય છે આ ઉપરાંત VVIP ફરજો તથા ચુંટણી ફરજો પણ ફરજયાત કરવાની હોય છે પરંતુ અમુક જવાનો ફક્ત રેગ્યુલર ફરજો કરે છે અને પરેડ તથા VVIP ફરજો કે ચુંટણી ફરજો કે કેમ્પ કરતાં નથી જે ખુબજ ગંભીર બાબત છે અનેક વખત સુચનાઓ આપવા છતાં અમુક હોમગાર્ડઝ જવાનોએ નિયમીત પરેડો કરેલ નથી તેમજ VVIP ફરજો તથા ચુંટણી ફરજો કરેલ નથી અને તેમાં ગંભીર પ્રકારની બેદરકારી દાખવી અને જિલ્લા કમાન્ડન્ટનાં હુકમનો અનાદર કરનાર….

કાલાવડ તાલુકા યુનિટનાં જવાન એઝાઝ રફીકભાઈ માંકડીયા, સિક્કા યુનિટનાં જવાન જિતેના જે રાણવા, સીટી એ. યુનિટનાં જવાન મુકેશ રતિલાલ વડગામાં, હાર્દીક શૈલેશભાઈ મકવાણા તથા સીટી બી. યુનિટનાં જવાન સુનીલ જી. દાઉદીયાને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાને મળેલ અધિકારની રૂએ હોમગાર્ડઝ દળમાંથી બરતરફ કરવાનો હુકમ કરવામાં આવેલ છે.
વિશેષમાં જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાએ જણાવેલ છે કે, વર્ષ-2024 ના અંતે જે હોમગાર્ડઝ જવાનોની પરેડ-તાલીમ 50% થી ઓછી હશે તેઓની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરી બરતરફ સુધીની શિક્ષા કરવામાં આવશે જેથી નિયમીત ન હોય એવા જવાનોને તાત્કાલીક નિયમીત પરેડ-ફરજમાં સામેલ થઈ જવા તાકીદ કરેલ છે.
