Mysamachar.in-ગાંધીનગર
દેશની સાથે રાજ્યમાં પણ લોકડાઉન છે, અને લોકડાઉનની અમલવારી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ કહ્યું કે, લોકડાઉનના અમલ દરમિયાન જે દુકાનો ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે ત્યાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે. આ અંગે પોલીસ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસવડાએ વધુમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે પાન, મસાલા, ચા- નાસ્તા, રેસ્ટોરન્ટ, હેર કટિંગ જેવી દુકાનો ખોલવા પર પ્રતિબંધ છે, તેમ છતાં જો આ દુકાનો ખોલવામાં આવી હશે તો દુકાનદારો તથા ત્યાં એકઠા થયેલા ગ્રાહકો પર પણ કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવશે. પાન, મસાલા અને ગુટખા વેચનારા તથા લેનારા બંને સામે કેસ કરવામાં આવશે.