Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, તેને જોતા હવે લોકોના સ્વાસ્થ્યના હિતમાં કેટલાક જરૂરી નિર્ણયો તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં આજે જે નિર્ણયો સામે આવ્યા છે તેમાં જીલ્લાની તમામ મામલતદાર કચેરીઓમાં આવેલ જનસેવા કેન્દ્રો બંધ કરવાનો નિર્ણય 15 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી બંધ આ તમામ જનસેવા કેન્દ્રો બંધ રહેશે અને માત્ર ઓનલાઈન અરજીઓ સ્વીકારી તે અંગેની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જામનગર જિલ્લામાં આવેલ તમામ ધાર્મિક સ્થાનો તા.30/04/2021 સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અપિલ કરવામાં આવે છે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પુજા વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો પુજારીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે જ કરવામાં આવે તેમજ શ્રધાળુઓને ધાર્મિક સ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની જાહેરહિતમાં અપિલ નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા દ્વારા કરવામાં આવી છે.