Mysamachar.in-જામનગર
જામનગર શહેર જિલ્લામાં આજે ભારે ચકચાર મચાવનાર બનાવ સવારે લાલપુર બાયપાસ નજીક ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં બિલ્ડર ગીરીશ ડેર પર ફાયરીંગ અને સ્વબચાવમાં પોતે પણ ફાયરીંગના મામલે જીલ્લાની પોલીસ દોડતી થઇ જવા પામી છે, ત્યારે આ મામલે વિધિવત રીતે પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને મામલાની તપાસ એલસીબી પી.આઈ.એમ.જે.જલુ ને સોંપી દેવામાં આવી છે. જે ફરિયાદ ગીરીશભાઈ ડેર દ્વારા નોંધાવવામાં આવી છે તેના પર નજર કરવામાં આવે તો…
જામનગર લાલપુર ચોકડી પાસે આવેલ સર્વે નબર-૯૬૧ વાળી જગ્યામા કિષ્નાપાર્કમા આવેલ અમુક પ્લોટોનુ અગાઉ પરસોત્તમભાઈ રાજાણીએ દલાલીથી સોદો કરાવેલ તે સોદો કેન્સલ કરવા રૂપીયા એક કરોડની ખંડણીની માંગણી કરેલ જે રુપીયા નહી આપતા જયેશ પટેલએ તેના મળીતીયા મારફત ફાયરિંગ કરાવેલ નો બનાવ બન્યો હતો, જયેશ પટેલએ આ કીષ્નાપાર્કના પ્લોટોમા કોઈએ મહેશભાઈ વારોતરીયા આહીર પાસેથી પ્લોટોની ખરીદી નહી કરવા અને કરશો તો જીવ ગુમાવાની તૈયારી રાખશો તેવી ધમકીઓ આડકતરી રીતે તેના મળતીયા મારફત મોકલાવતો હોય એવામાં ગીરીશભાઈ ડેરે જમીન મહેશભાઈ વારોતરીયા પાસેથી ખરીદ કરી તેમા બાંધકામ શરૂ કરેલ હોય….
જે બાબતનુ મનદુખ રાખી ભૂમાફિયા જયેશ પટેલેએ અગાઉથી પ્લાન બનાવી તેના મળીતીયા કે ભાડુતી માણસો આશરે પચીસથી ત્રીસ વર્ષની ઉંમરના બે મોટરસાઈકલ બુકાની બાંધી બાંધેલ ગીરીશભાઈની ક્રિષ્નાપાર્ક સાઈડ ઉપર મોકલી ગીરીશભાઈને મારી નાખવા માટે તેના પર રીવોલ્વર જેવા હથીયારથી બે રાઉન્ડ ફાયર કરી અને સાથેના બે ઈસમોએ હથોડી તથા પાઈપ થેલામાથી કાઢી ગીરીશભાઈને મારવા આવતા ગીરીશભાઈએ પોતાના સ્વબચાવમા પોતાની લાયસન્સવાળી રીવોલ્વરથી ત્રણ રાઉન્ડ હવામા ફાયરીંગ કરતા આવેલ અજાણ્યા ત્રણેય ઈસમો નાશી ગયા હતા.જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા એસ.પી.ડીવાયએસપી, એલસીબી એસઓજી સહિતનો મોટી સંખ્યામાં કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો અને મામલે તપાસ આરંભી છે, હવે જોઈએ તપાસમાં શું નીકળે છે.