Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લામાં વધુ એક વખત લુંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવતા નોકરીયાત યુવાન સાથે વિશ્વાઘાત કરી અને દોઢલાખની છેતરપીંડીનો ભોગ બનાવ્યાની પોલીસ ફરિયાદ સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે, નોંધાયેલ ફરિયાદ પર નજર કરવામાં આવે તો ખોડીયાર કોલોની, હોટલ બિકોન વાળી ગલીમાં રહેતા અને ખાનગી બેંકમાં નોકરી કરતા પ્રિતેશભાઇ ધીરજલાલ શાહે પોતે લગ્ન કરવા ઈચ્છુક હોય તેના કાના છીકારી ગામે રહેતા સબંધીઓને જાણ કરી હતી. જે બાદ કાના છીકારીમાં જ વસવાટ કરતા વિજય બારોટ અને તેની પત્ની કાજલ વિજય બારોટે મહારાષ્ટ્રની એક યુવતી સાથે લગ્ન કરી આપવાની વાત કરી યુવકને વિશ્વાસમાં લઇ અને દોઢ લાખ રૂપિયા યુવક પાસેથી પડાવી લીધા હતા.
જે બાદ દંપતીએ પાયલબેન પ્રદિપ બંસોડ રહે. વી.ટી ખદાન,મંતાપુર રોડ,વીધાયક ભવનની બાજુમાં નાગપુર મહારાષ્ટ્ર વાળી સાથે લગ્ન કરાવી આપ્યા હતા. જામનગર કોર્ટમાં લગ્ન કરી આપવાની ખાત્રી અને ભરોસો આપી બાદ મૈત્રી કરાર કરાવી આપ્યા હતા. અને માત્ર ત્રણ દિવસ સુધી જ યુવતીએ મૈત્રી કરાર કરી યુવક સાથે રહી હતી, અને બાદમાં ચાલી જતા પોતે લગ્નને નામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ભોગ બન્યાની અનુભૂતિ યુવકને થતા તેને સીટી સી ડીવીજન પોલીસ મથકે કાનાછીકારીનાએ દંપતી તથા યુવતી સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.