Mysamachar.in:જામનગર
સંવત 2080 નવા વર્ષ અન્વયે ભારતીય જનતા પાર્ટી, જામનગર મહાનગર દ્વારા નૂતન વર્ષે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ. આ તબક્કે શહેર અધ્યક્ષ ડો વિમલ કગથરા દ્વારા સૌ કાર્યકર્તાઓને આવકારવામાં આવેલ, તેઓએ સ્વાગત પ્રવચનમાં જણાવેલ કે, આ નવું વર્ષ નવી આશા, નવા પરિણામો લાવવાનું વર્ષ નીવડશે.
આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાત રાજ્યની તમામ 26 લોકસભા સીટ ઉપર વિજય તો ચોક્કસ મેળવશું, પણ તેની સાથે સાથે પ્રત્યેક સીટ ઉપર ૫ લાખની લીડ મેળવશું ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ સૌ કાર્યકર્તાઓને શુભકામના પાઠવતા જણાવેલ કે, આ વર્ષે દિવાળીમાં એક અલગ ઉત્સાહ જોવા મળેલ છે, દરેક વ્યક્તિ માટે ઘરનું ઘર, નલ સે જલ, આયુષમાન કાર્ડ દ્વારા લોકોના સ્વાસ્થ્યની જાળવણી એ જ સાચી દિવાળીની ઉજવણી કહેવાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પ્રદાન કરેલ છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જામનગર ની જીજી હોસ્પિટલનું ભવ્ય નવીનીકરણ મંજૂર કરાયેલ છે,ઉદ્યોગ ધંધાના વિકાસ અર્થે જી આઇ ડી સી ના ઇન્ફ્રાટ્રકચર સહિતને મંજૂરી મેળવી, જામનગર ને સ્માર્ટ સિટી તરફ આગળ લઈ જવા કટિબદ્ધતા દાખવેલ છે. પાણી બચાવોના વિચારોને વિશેષથી અમલીકરણમાં મૂકવો જોઈએ. વીજળી બચાવો સહિત સ્વચ્છતા બાબતે વિશેષ જાગૃત રહીએ તેવો સંદેશ આપેલ.
ભાજપ જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા દ્વારા સૌ કાર્યકર્તાઓને શુભકામના પાઠવતા જણાવેલ કે, દિવાળીએ પર્વની દેવી છે, ભગવાન શ્રી રામ જ્યારે વનવાસ પૂર્ણ કરી અયોઘ્યા પરત ફરે છે ત્યારે પ્રજાએ દિપ પ્રાગટ્ય કરી ઉજવણી કરેલ, અને બીજા દિવસે તેઓ રાજગાદીએ બિરાજમાન થયેલ. દિવાળી એ ભગવાન શ્રી રામ ને દિલ માં ફરી ફરીને આવકારવાનો તહેવાર છે. પ્રવર્તમાન સમયમાં કાર્યકર્તાઓએ આગામી સમયમાં, આગામી વર્ષમાં નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા કટિબધ્ધતા દાખવી, પ્રત્યેક સીટ ઉપર 5-5 લાખની લીડ અપાવવી જોઈએ. આ વર્ષે ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ પૂર્ણ કરવામાં આવશે, આથી આ વર્ષ નું મહુરત જ અદ્ભુત થવા જઈ રહ્યું છે.ભાજપ જામનગર મહાનગરના પ્રભારી પલ્લવીબેન ઠાકર એ સૌ કાર્યકર્તાઓને શુભકામના પાઠવેલ,
સાંસદ પૂનમબેન માડમ દ્વારા શુભકામના પાઠવતા જણાવેલ કે, આજે આપણે સૌ મંગળ પ્રસંગે ઉપસ્થિત થયા છીએ ત્યારે એક સક્ષમ નેતૃત્વ હેઠળ આપણે સૌ આગળ વધી રહ્યા છીએ. તેઓએ વિશેષથી જણાવેલ કે, નવું વર્ષ એટલે નવા સંકલ્પ, જૂની ભૂલો ને ભૂલી ને આગળ વધવાનો અવશર. આ નવા વર્ષે મજબૂતી થી આગળ વધવું જોઈએ તથા ભારતીય જનતા પાર્ટીને વધુને વધુ મજબૂત બનાવી જોઈએ. વિશ્વ આખું ભારત સાથે જોડાવા આતુર છે, અને ભારત વિશ્વસ્તરે પ્રખ્યાત બન્યું છે. દરેક દેશ વિચારે છે કે ભારત પાસે જે દૂરંદેશી છે એ કોઈ પાસે નથી, ભારત સમગ્ર વિશ્વ ને નવી દિશાઓ બતાવશે, આવી પાર્ટી માં જોડાયેલ કાર્યકર્તાઓને 2024 માં નવો ઇતિહાસ રચવામાં આહવાન કરેલ.
ચાઇના જેવા દેશ જે સમગ્ર વિશ્વના દેશો માટે તકલીફ ઉભી કરવા ની માનસિકતા ધરાવે છે, અર્થતંત્ર સહીત સુધી અસર પહોંચાડવા ચળવળ કરી રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જી-20 સંમેલન થકી ચાઈનાની હીન માનસિકતાને જવાબ આપ્યો છે. કેન્દ્રના માધ્યમ થકી વિચારી ન શકીએ તેવી સુવિધા પ્રાપ્ત થઈ છે, ઓખા થી લઇ અમૃતસર સુધી ગ્રીન કોરિડોર (નેશનલ હાઇવે) ઉપલબ્ધ બન્યો છે, ડબલ્યુ. એચ. ઓનું સેન્ટર અહી આકાર લેવા જઈ રહ્યું છે, એઈમ્સ જેવી સુવિધા જામનગરની નજીક ઉપલબ્ધ બની છે.
આગામી સમયમાં રેલ વ્યવહાર, હવાઈ વ્યવહારની સેવા વધશે. વંદે ભારતની ટ્રેન સૌરાષ્ટ્રમાં પ્રથમ ટ્રેન જામનગર ને ફાળે મળી છે, વંદે ભારત થકી જામનગર સુરત સુધી રેલ કનેક્ટિવટી વધુ મજબૂત બનશે.તો ભાજપના સક્ષમ નેતૃત્વ થી પ્રેરિત થઈ, આમ આદમી પાર્ટી ના ગત ચૂંટણી ના 79 વિધાનસભા ના ઉમેદવાર વિશાલ ત્યાગી તેમના ટેકેદારો, કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટી માં જોડાયા, તથા ડો વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના હાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેશ ધારણ કરેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓએ તેમને આવકરેલ છે. મહિલા મોરચાની બહેનો દ્વારા ભવ્ય રંગોળી બનાવવામાં આવેલ હતી, જેને અનેરું આકર્ષણ ઉભું કરેલ.