• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, July 6, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ભાણવડ: પ્રેમ લગ્ન કરનાર યુવાનની કરપીણ હત્યાનો ચકચારી મામલો, 6 ઇસમોને દબોચી લેવામાં આવ્યા

 દોઢ વર્ષ બાદ પત્ની, પુત્રી સાથે આવેલા યુવાનને પત્નીના પરિવારજનોએ પતાવી દીધો

My Samachar by My Samachar
August 5, 2024
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
ભાણવડ: પ્રેમ લગ્ન કરનાર યુવાનની કરપીણ હત્યાનો ચકચારી મામલો, 6 ઇસમોને દબોચી લેવામાં આવ્યા
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના  ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે રહેતા એક યુવાને આજથી આશરે દોઢ વર્ષ પહેલાં આ જ ગામની એક યુવતી સાથે લગ્ન કરી લીધા બાદ બહારગામ રહેતા ઉપરોક્ત દંપતિ તેમજ તેમની માસુમ પુત્રી સાથે તેઓ શેઢાખાઈ ગામે પરત આવતા અહીં યુવતીના ભાઈઓ તથા કાકાએ મળીને શનિવારે સાંજે આ યુવાન ઉપર જીવલેણ હુમલો કરી, તેની હત્યા નિપજાવ્યાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત એવી છે કે ભાણવડથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા શેઢાખાઈ ગામે રહેતા યાજ્ઞિક લક્ષ્મીદાસ દુધરેજીયા નામના 24 વર્ષના બાવાજી યુવાનને આ જ ગામના રહીશ ઈશા અબુભાઈ દેથાની પુત્રી રમઝા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. તેમના લગ્ન રમઝાના પિતા ઈશાભાઈને સ્વીકાર્ય ન હતા અને રમઝાની સગાઈ જ્યાં તેણીની મરજી વિરુદ્ધ થઈ હતી, ત્યાં જ તેણીના નીકાહ થાય તેમ તેણીના પિતા ઈશાભાઈ દેથા ઈચ્છતા હતા.રમઝાના પરિવારજનોને પણ આ લગ્ન પસંદ ન હતા. પરંતુ રમઝા પણ યાજ્ઞિકના પ્રેમમાં હોય બંને વર્ષ 2023 ના સમયગાળા દરમિયાન ઘરેથી ભાગી ગયા હતા. જે અંગેની ગુમ નોંધ રમઝાના પિતા ઈશાભાઈ અબુભાઈ દેથાએ તારીખ 7 જાન્યુઆરી 2023 ના રોજ સ્થાનિક પોલીસમાં કરાવી હતી.

દોઢેક વર્ષથી શેઢાખાઈ ગામેથી નાસી ગયા બાદ યાજ્ઞિક તેમજ તેના પત્ની રમઝા ઉર્ફે હેતલ બહારગામ રહેતા હતા. અને તેઓને ગત તારીખ 24 જૂન 2024 ના રોજ પુત્રીનો જન્મ થયો હતો. ત્યાર બાદ બંને પોતાના ઘરે અહીં રહેવા આવ્યા હતા. જે રમઝા ઉર્ફે હેતલના પરિવારજનોને પસંદ ન હતું, આ વચ્ચે શનિવારે બપોરે યાજ્ઞિક જમીને ત્રણેક વાગ્યાના સમય પોતાના ઘરેથી નીકળ્યો હતો અને તેના મિત્ર હરદીપસિંહ વજુભા સાથે ગામના બસ સ્ટેશન પાસે માવો ખાવા ગયો હતો. બસ સ્ટેશન પાસે રમઝા ઉર્ફે હેતલનો ભાઈ સાજીદ ઈશા દેથા અને એક સગીર ઉપરાંત તેણીના કાકા સલીમ હુસેન, આમદ મુસા, જુમા મુસા, ઓસમાણ મુસા ઉર્ફે ભકો અને હોથી કાસમ નામના કુલ સાત પરિવારજનો લોખંડના પાઈપ, કુહાડી અને છરી જેવા ઘાતક હથિયારો લઈને ધસી આવ્યા હતા. મારી નાખવાના ઈરાદાથી બસ સ્ટેશન પાસે આવીને ઉપરોક્ત શખ્સોએ યાજ્ઞિક ઉપર હુમલા કરતા તેના મિત્ર હરદીપસિંહ “રહેવા દયો, રહેવા દયો”- કહી અટકાવ્યા હતા. પરંતુ ત્યાર બાદ પરિસ્થિતિ પારખીને તે અહીંથી ચાલ્યો ગયો હતો.

આરોપી આદમે યાજ્ઞિકના પગમાં કુહાડાના ઘા મારી, અન્ય આરોપીઓ પણ હથિયારો વડે તૂટી પડ્યા હતા અને આડેધડ ઘા મારી અને સાજીદ, સલીમ, આમદ તથા જુમો એ “શું કામ ના પાડી તો પણ અમારી દીકરી સાથે લગ્ન કર્યા? આજે તો તને અહીંથી જીવતો જવા દેવો નથી, પતાવી દેવો છે”- કેમ કહી બેફામ માર મારી, જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ બનતા યાજ્ઞિકના માતા નિર્મળાબેન તથા તેમના પત્ની રમઝા ઉર્ફે હેતલ અહીં પહોંચી ગયા હતા અને હેતલે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ પણ તાકીદે અહીં પહોંચી ગઈ હતી. યાજ્ઞિકને ઈજાઓ પહોંચાડી, આરોપીઓ નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત એવા યાજ્ઞિકે ઉપરોક્ત બનાવ અંગે તેના માતા તેમજ પત્નીને વિગતવાર વાત કરી હોવાનું પણ વધુમાં જાણવા મળ્યું છે.

લોહી લુહાણ હાલતમાં યાજ્ઞિકને ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેની હાલત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ માર્ગમાં ખૂબ જ કણસતી હાલતમાં સિક્કા ગામ નજીક પહોંચતા જ યાજ્ઞિક બેભાન થઈ ગયા બાદ શનિવારે સાંજે આશરે 7:30 વાગે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચતા ત્યાં ફરજ પરના તબીબોએ યાજ્ઞિકને મૃત્યુ પામેલ જાહેર કર્યો હતો.આ સમગ્ર પ્રકરણ અંગે મૃતકના માતા નિર્મળાબેન લક્ષ્મીદાસ દુધરેજીયાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે સાજીદ ઈશા દેથા, સલીમ હુસેન દેથા, જુમા મુસા દેથા, આદમ મુસા ઉર્ફે આદુ ,ઓસમાણ મુસા ઉર્ફે ભકો દેથા, હોથી કાસમ ઉર્ફે ડાડો દેથા અને એક સગીર સહિત સાત શખ્સો સામે ભાણવડ પોલીસે હત્યા સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ગણતરીના કલાકોમાં છ શખ્સોની અટકાયત કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આરોપીઓને આજે સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

યુવાનની હત્યાનો આ બનાવ બનતા  ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. નાના એવા શેઢાખાઈ ગામે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પ્રકરણમાં સંડોવાયેલા છ આરોપીઓની પણ પોલીસે અટકાયત કરી લીધી હતી. ત્યારે ઘાતકી હત્યાના આ સમગ્ર બનાવે નાના એવા શેઢાખાઈ ગામમાં ભારે ચકચાર પ્રસરાવી છે. આ સમગ્ર કાર્યવાહી સી.પી.આઈ. યુ.કે. મકવા, એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલ, એસ.ઓ.જી.ના પી.આઈ. પી.સી. સિંગરખીયા, ભાણવડના પી.એસ.આઈ. કે.કે મારુ, એન.એન. વાળા તેમજ એલ.સી.બી. અને એસ.ઓ.જી. સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

July 5, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરમાં તમામ વોર્ડનું થઈ શકે નવું સીમાંકન…

July 4, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®