Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં વધુ એક વખત આર્થિક સંકડામણે એક યુવકને જીવ દેવા મજબુર કર્યો છે.આ અંગેની પ્રાપ્ય વિગતો મુજબ શહેરના ગુલાબનગર નજીક મોહનનગર આવાસમાં બ્લોક નંબર 5માં રહેતા જતીન જીતેન્દ્રભાઈ સોલંકી નામના 34 વર્ષીય યુવકે પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય અને દેણું વધી જતા સતત આર્થિક સંકડામણના અનુભવ વચ્ચે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનું જાહેર થયું છે.