Mysamachar.in-પંચમહાલ
આજે સવારે રાજ્યમાં વધુ એક ગખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જે ઘટનામાં 2 બાળકો સહીત 4 લોકોના જીવ ગયા છે, આ અંગે વિગતો મળી રહી છે તે પ્રમાણે ગોધરા દાહોદ હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. અમદાવાદથી ઇન્દોર જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા હાઇવે ઉપર જ પાર્ક કરી રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી હતી. તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય ખાનગી બસે ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો.
બસને ટક્કર વાગતા પાછળથી આવતી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ રોડની બાજુમાં આવેલ ખાડામાં પલટી ગઈ હતી. ટક્કર વાગતા ઉભેલી બસની પાછળના ભાગે બેઠેલા મુસાફરોના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં લક્ઝરીમાં બેઠેલા ચાર મુસાફરોના મોત નિપજ્યા છે. મૃતકોમાં 2 બાળકો, એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. તેમજ 3 મુસાફરોની હાલત ગંભીર હોવાનું પણ સામે આવી રહ્યું છે, બે ખાનગી બસ વચ્ચે ગોધરા દાહોદ હાઈવે ગઢચુંદડી પાસે ઘટના બની હતી અને આ ઘટનામાં કુલ 15 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.