Mysamachar.in-જામનગર
જામનગરમાંથી એક અધિકારી રાજ્ય સરકારની એક તપાસનીશ એજન્સીની તપાસ બાદ ભેદી રીતે “ગાયબ” હોવાનુ જાણકારોમાં ચર્ચાય છે,જો કે ભ્રષ્ટાચારીઓની કડીઓ સમાન આવા અમુક અધીકારીઓ કે કર્મચારીઓ ચર્ચાઓમાં વારંવાર રહે છે પરંતુ કસકસતા સકંજાથી દૂર રહેવામાં સફળ રહેતા હોય તેવુ બને છે જોકે આ અધીકારી પણ તેવા જ કોઇ પ્રકારે ગાયબ હોવાનુ અનુમાન પ્રબળ બને છે,થોડા સમય પહેલા નવસારીમાં મામલતદાર અને તેની ટીમ 90000 ની લાંચ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં થી એસીબી એ ઝડપી પાડ્યા રેવન્યુ વિભાગના સુત્રો કહે છે કે જે મામલતદાર ઝડપાયા તેના નજીકના એક અધિકારી જામનગરમાં પણ ફરજ બજાવે છે, અને તે પણ “લેવાના” “માસ્ટર” છે,
વળી તેને તો દુકાન ખોલી હોય તેમ “વહીવટ” આપો અને કામ કરાવોની નિતિ અખત્યાર કરે છે, અને સીધા પોતે જ વહીવટ કરે છે કોઈ સ્ટાફ નહિ કોઇ વચેટીયા નહી કોઈ નજીકનું નહી સીધા એ અધિકારી પોતે જ વહીવટ કરતા હોવાની જાણ કચેરીના કેટલાક ચબરાક કર્મચારીઓને થઇ ગઇ હતી અને તે પણ આ વાતને સમર્થન મળતુ હોય તેમ આ બાબત હવે છાપરે ચડી પોકારશે તેવા એંધાણ પણ હતા કેમકે તપાસનીસ એજન્સી પાસે આ અધિકારીની સામેની અરજીઓ પણ પહોચી ગઈ હતી અને ગમે ત્યારે ધડાકો થાય તેમ પણ હતુ, તેવામાં હજુ તો પ્રાથમીક તપાસ જેવી પુછપરછ અમુક પ્રકરણો ને લઇને થઇ છે તેમ સુત્રો કહી ઉમેરે છે જેમાં બિનસરકારી પણ કોઇ સંડોવાયેલુ હોય તો પણ નવાઇ નહી અને આંગણી ચિંધનારે વિસ્તૃત વિગતો એજન્સી ને પુરી પાડી છે માટે નક્કર પુરાવાઓ ઉભા થવામા એજન્સીની દ્રઢ ઇચ્છા શક્તિ હોય કદાચ વાંધો ન આવી શકે તેવી સાનુકુળતાઓ પણ છે,
ત્યારે જિલ્લાના મોટા એવા વિભાગના વર્ગ ૨ ના ગાયબ અધીકારી અંગે તરતના ઉપરી અધીકારી કંઇક જાણે છે પરંતુ ચોક્કસ પ્રકારની રજા ઉપર તે( ગાયબ) અધીકારી ગયા હોવાનુ જણાવે છે, જો કે જેમ શરૂ સેક્શન થી લાલબંગલા વિસ્તાર થઇ જિલ્લાના અમુક તાલુકાઓ કે કોઇ કોઇ ગામ સુધીના જળવાયેલા કોઇ કોઇ ગૃપ ગેરરિતિઓ”ગઠબંધન” હવે ખુલ્લા પડે તો નવાઇ નહી તેમ જેમ જાણકારો જણાવે છે તેવીજ રીતે આ કિસ્સામા કંઇક નવાજુની થવાનો સમય હજુ પાકી રહ્યો છે પરંતુ “વહીવટ”ના પ્રકરણો પાક્કા છે ને અને ઘરના ભેદી એ જ પતા ખોલ્યા હોય જો એજન્સી ની દ્રઢ ઇચ્છાશક્તિ હોય તો સકંજો કસી શકાય તેમ છે પછી ભલેને “લાભાન્વિત” ભલે ને “ગાયબ” હોય….