Mysamachar.in:જામનગર
આગામી તા.02-08-2023ના આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથેની મુલાકાતમાં આવનાર વર્ષોમાં જંગલમાંથી ઔષધિઓ કલેકશન થવાના કારણે ઘીરે ઘીરે ઓછી થવાના આરે પહોંચી છે. આ બાબતે બંને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની ચર્ચા થઇ હતી. આવનાર વર્ષોમાં દિનપ્રતિદિન આયુર્વેદ ઔષધિઓની માંગ વિશ્વસ્તરે વધતી ચાલી છે. અધુરામાં પુરું આયુષ મિનિસ્ટ્રી આહાર ઔષધનાં નિયમનને પુરતો વેગ આપી આ ઔષઘો વિદેશમાં સરળતાથી નિકાસ થાય એ અંગે FDથી પોલીસી બનાવી સરળ કરી રહી છે. તદ્ઉપરાંત વિદેશથી આવનાર આયુર્વેદ ચિકિત્સા કરાવનાર વ્યકિતને સરળતાથી આયુષ વિઝા ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે.
આ બધા પ્રયાસના પરિણામે ઔષધિની માંગમાં જબરો વધારો નોંધાયો છે અને અધુરામાં પુરુ ગ્રામ્ય જમીનોમાં લેવાતા પાકના નિયંત્રણ સ્વરુપે જે ખેડુત માટે નિંદામણ હતું. પરંતુ આ નિંદામણ આપણો અમૂલ્ય ઔષધિ વારસો હતો જેને પેસ્ટ્રીસાઇડ અને વિડ્રીસાઇડ ધ્વારા ખતમ કરાતો ગયો છે. જંગલમાંથી પણ ઔષધિઓ કલેક્શન કરાવાનાં કારણે ઓછી થતી જાય છે. જંગલની આસપાસ વસતાં વનવાસી અને ખેડુતો પણ આ ઔષધિઓને ફાર્મસી ધ્વારા અનિયંત્રીત રીતે એકઠી કરાવે છે જેના કારણે આવી અમૂલ્ય ઔષધિની અછત ઉભી થતાં ભાવો પણ આસમાનને આંબવા લાગ્યા છે.
આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ધ્વારા આ પરિસ્થિતીની ગંભીરતા સમજી આણંદ કૃષિ યુનિવર્સિટીના સહયોગથી આવા અલગ અલગ સાંઇઠથી વધુ જેટલા ઔષધિ બીજને વિતરણ કરાય અને તમામ આયુર્વેદ કોલેજ ધ્વારા એનું વાવેતર થાય એવો પરિપત્ર જાહેર કર્યો છે. ચણોઠી, બલા, અતિબલા, કાલમેઘ, શતાવરી આશ્વગંધા કીડામાટી, કાસુન્દરો મીઠી આવળ, સહદેવી, બાવચી, જીવન્તી કૌચા જેવી દુલભ થતી એવી 60 ઔષધિઓની આ બીજ બેંક તમામ સ્કુલ, કોલેજ, ગ્રામ પંચાયત, ફોરેસ્ટ તેમજ ટ્રસ્ટ ધ્વારા જમીનમાં રોપાય તો આવનાર વર્ષોમાં આ અછતને આપણે નિવારી શકીશું એમ ડો. મુકુલ પટેલે જણાવ્યું હતું.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી આવનાર વર્ષોમાં કૃષિ યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ કરી ઔષધિ સંવર્ધન કરાવી તમામ ફાર્મસીને ઉચ્ચ ગુણવતા સભર દવાઓ મળે એ રીતે આયોજન કરનાર છે. આ બાબતે જરુર પડયે ગુજરાતની તમામ આયુ. ફાર્મસીને એકત્રીત કરી સેમીનાર તેમજ વર્કશોપ યોજી સંયુકત પ્રયત્ન થશે. કૃષી યુનિવર્સિટી ઘણી ઔષધોને ખેતી ધ્વારા સંવર્ધિત કરે છે પણ યોગ્ય બજારના અભાવે યોગ્ય સમયે એનો નિકાલ થઇ ઔષધ બને જે જરુરી છે અને આવા સંયુકત પ્રયત્નો ધ્વારા આવનાર વર્ષામાં આ સંવર્ધન ગુજરાતને ઔષધિક્ષેત્રે પણ મોખરાનું સ્થાન અપાવે એવી આશા રખાઇ છે.
એક જંગલખાતાના સર્વેક્ષણ મુજબ 378 સ્કવેર કિલોમીટરનું જંગલ ખરેખર જંગલ જેવું લાગે છે બાકીનાં 5200 સ્કવેર કિલોમીટરનાં જંગલનો એરીયો પાંખો બની ચૂકયો છે અને 9179 સ્કવેર કિલોમીટરનો વિસ્તાર સંપૂર્ણ પાંખો બનીને ખુલ્લો થઇ ગયો છે. ખુલ્લા વિસ્તારમાં નિંદામણ તરીકે ઓળખાતી ઔષધિ રોપી શકાય તો છેવટે ઘણો મોટા વિસ્તાર ઔષધિથી સભર થઇ જાય. આ બાબતે આગામી દિવસોમાં જંગલખાતાને પણ યુનિવર્સિટી સાથે સંલગ્ન કરાવી પ્રયાસ કરાશે.
આવનાર મહિનામાં ગુજરાતની તમામ આયુર્વેદ કોલેજમાંથી જંગલ પ્રવાસ ધ્વારા વનસ્પતિ કેમ્પ, ઓળખ, ટ્રેકીંગ તેમજ ઔષધિ નિર્માણ અંગેના ડાંગનાં જંગલોમાં રાજપીપળાના જંગલોમાં તેમજ ગીરનાં જંગલોમાં થશે. આ અંગે યુનિવર્સિટી અને જંગલ ખાતુ સંયુકત પ્રયાસોથી આ પ્રવૃત્તિ નિભાવશે, વિધાર્થી સાચી ઔષધિ ઓળખ તેનું સ્ટાન્ડડાઇજેશન તેમજ સંવર્ધન શીખવાડાશે અને આજ ઔષધિઓને સંસ્થા અંતર્ગત આયુર્વેદ કોલેજમાં ફાર્મસી ધ્વારા ઔષધ નિમાર્ણ કરીને દર્દીને બહુ કીફાયતી ધોરણે અપાય એવું યુનિવર્સિટી ઇચ્છે છે.