Mysamachar.in:જામનગર
જામનગર શહેરમાં ગઈકાલે પશુ પકડવાની બેરહમ કામગીરી દરમિયાન એક ગાય ઈજાગ્રસ્ત થતા તેનું ઢોર પકડવાની ગાડીમાં જ મોત થતા આજે માલધારી અને પશુ પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને તમામ ગૌ પ્રેમીઓ જામનગર મનપા ખાતે પહોચ્યા હતા અને નાયબ કમિશ્નર સમક્ષ કેટલીક રજુઆતો કરી છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે જે એટલી બેદરકારીથી ચાલે છે જે વાહનમાં કેપેસિટીથી વધારે ઢોર ભરવામાં આવે છે જેથી તા.09/02/2023 ના રોજ ગર્ભવતી ગાયનું મૃત્યુ થયેલ છે અને જે કર્મચારી દ્વારા ગાયોને ડબ્બામાં લઇ જવામાં આવે છે તે અત્યંત ક્રુરતાથી લઇ જવામાં આવે છે.
તો સોનલનગરમાં આવેલ કોર્પોરશનની ઢોર રાખવાની જગ્યા પર જેટલા ઢોર છે તે ઢોરની સ્થિતિ દયનીય છે કે જેમકે પાણીની વ્યવસ્થા નથી બીમાર ગાયોને અલગ રાખવાની પણ વ્યવસ્થા નથી તેણે છાયાની વ્યવસ્થા નથી તેને ખાવાની પણ પુરતી વ્યવસ્થા નથી બીમાર ગાયોને અલગ રાખવાની પણ વ્યવસ્થા નથી જેથી અન્ય ગાયો પણ બીમાર થાય છે. જ્યા સુધી આ પુરતી વ્યવસ્થા ન થાય કોર્પોરેશનના કર્મચારીઓ સારીરીતે કામગીરી ના કરે ત્યાં સુધી ઢોર પકડવાનું કર્યાં મુલતવી રાખવા વિનંતી છે. તથા સોનલનગરમાં આવેલ કોર્પોરેશનની જગ્યામાં જે ઢોર રાખવામાં આવેલાં છે તેમાં 2 ગૌરક્ષકને પરવાનગી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
ગૌરક્ષકોની માંગ છે કે…
-ગાયોને ક્રુરતાપૂર્વક લાવવામાં ના આવે.
-જ્યા ગાયોને રાખવામાં આવે છે ત્યાં પીવાના પાણીની તથા ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે.
-ગાયોને છાયા માટે ઉપર સેડ બનાવવામાં આવે.
-ગર્ભવતી ગાય ને એક ગાડીમાં અલગથી લઇ આવવામાં આવે.
-બીમાર ગાયોને અલગથી રાખવાની વ્યવસ્થા કરવામાંઆવે જેથી સ્વસ્થ ગયોને ચેપ ના લાગે.
-ગાયોને પકડવાની ગાડી ને સાફ રાખવામાં આવે.
-જ્યા ગાયોને રાખવામાં આવે છે ત્યાં 24 કલાક લાઈવ સી.સી.ટી.વી કેમેરા રાખવામાં આવે તેથી જનતા તેને જોઈ શકે.
-બે ગૌરક્ષકોને 24 કલાકમાં ગમે ત્યારે વિઝીટ લઈ શકે તેવી મંજુરી આપવામાં આવે.
-નાયબ કમિશ્નર ભાવેશ જાનીએ કહ્યું કે..
આ મામલે અમને માલધારીઓની રજૂઆત મળી છે, તે સંદર્ભે કમિશ્નર સાથે ચર્ચા કરી જરૂરી ઘટતી કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે.