Mysamachar.in:જામનગર
જામનગરમાં ગંદુ ગોબરું ખાવા પીવાનું લોકો મોટા પૈસા દઈને આરોગી રહ્યા છે કે કેમ તે સવાલ હવે ઉભો એટલા માટે થઇ રહ્યો છે, કારણ કે બે દિવસમાં એવી ઘટનાઓ જામનગર શહેરમાં સામે આવી જે વિચારતા કરી દે તેવી છે, લોકો જે પણ રેસ્ટોરન્ટમાં આરોગવા જાય ત્યાં જાગૃતતા દાખવવી આવશ્યક હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે બે દિવસમાં જામનગરના પોષ વિસ્તારમાં આવેલ બે નામાંકિત દુકાનોમાં કેવી લાલિયાવાડી ચાલે છે અને દુકાનોમાં કેટલા જીવડા જીવાતો ફરતા હશે તે સામે આવ્યું છે, બે દિવસ પૂર્વે પટેલ કોલોની નજીક મેઈન રોડ પર આવેલ છાશવાલા નામની દુકાનમાં આઈસ્ક્રીમ તેમજ ફ્રીજમાં જીવાત હોવાનું સામે આવતા મનપાની ફૂડ શાખાએ આ દુકાનને ત્રણ દિવસ માટે જાગૃત નાગરિકની ફરિયાદ બંધ કરાવી દીધી હતી, આ બાબત હજુ તો નજર સમક્ષ છે ત્યાં જ જીવાત વાળા પિઝા આર્મીમેનની પ્લેટમાં આવતા જામનગરમાં કેવી ખાણીપીણી લોકો આરોગી રહ્યા છે, તે ચિંતાજનક વિષય બની જવા પામ્યો છે.
વાત એવી છે કે જામનગરના પટેલ કોલોની 6 નંબર નજીક યુ.એસ.પિઝા નામનું રેસ્ટોરન્ટ આવેલ છે, જ્યાં દૈનિક ધોરણે કેટલાય લોકો પિઝા આરોગવા જાય છે, પણ ગતરોજ બન્યું એવ્યું કે એક્સ આર્મીમેન પી.પી.ગોસ્વામી તેમના પરિવાર સાથે યુ.એસ. પિઝામા પર પિઝાની મજા માણવા માટે પહોચ્યા હતા પણ થયું એવું કે પ્લેટ આવતા જ મજા બગડી ગઈ કારણ કે જે પિઝા મગાવ્યા તેમાં પિઝા સાથે જીવાત પણ જોવા મળી હતી જે અંગે એક્સ આર્મીમેને સ્થળ પર રેસ્ટોરન્ટ સંચાલકને ફરિયાદ કરી તો યુ.એસ.પિત્ઝાના સંચાલકે માફી માંગી હતી.જે બાદ આજે આ અંગે પી.પી.ગોસ્વામી નામના એકસ આર્મીમેન ફૂડ શાખાને આધાર પુરાવા સાથે ફરિયાદ કરતા ફૂડ શાખા દ્વારા યુ.એસ.પિઝા ખાતે પહોચ્યા બાદ ફૂડ સેફટી ઓફીસર ડી.બી.પરમારે કહ્યું કે “યુ.એસ.પિઝામાં તપાસ કરતા આજે આવું કાઈ મળી આવ્યું નથી છતાં રસોડાની કન્ડીશન હાઈઝેનીક ના હોય આ પેઢીને 5 દિવસ માટે બંધ કરી જરૂરી કાર્યવાહીઓ કરવા સુચના આપવામાં આવેલ” હોવાનું તેમને નિવેદન કર્યું છે.