Mysamachar.in-ગુજરાત:
મનોરંજન માટે માનવસ્વભાવ જાણીતો છે. આ મનોરંજન ભલેને પછી કોઈપણ પ્રકારનું નુકસાનકર્તા હોય તો પણ માણસ તે કરે. આપણે ત્યાં એ મનોરંજનમાં વ્યસનનું ધીકતું સ્થાન છે. જેમાં સોપારીથી ચાલુ કરીને પાન, તમાકુ, બીડી, સિગારેટ, દારૂ, ગાંજો વગેરે જેવા કેટકેટલા નશાઓના લોકો આદિ બની જતા હોય છે, એમાંય સમગ્ર બોલિવૂ઼ડ આજે ડ્રગ્સના કારણે ચર્ચામાં છે. યુવાનો જે મોટા સ્ટાર્સને ફોલો કરતાં હોય તે અભિનેતાઓ પોતે નશાની આદતની આદતમાં હોય છે. જે શોભજનક બાબત છે. વર્લ્ડ ડ્રગ રિપોર્ટ 2020 પ્રમાણે, ડ્રગ્સનો વધતો ઉપયોગ વધતી સંપત્તિ સાથે જોડાયેલો છે. આ અહેવાલ દર્શાવે છે કે, વિકાસશીલ દેશોની તુલનાએ વિકસિત દેશોમાં ડ્રગનો ઉપયોગ વધુ છે.
ભારત સરકાર નશા અંગે જણાવે છે કે દેશમાં બાળકોમાં નશાની લત એક મોટી સમસ્યા બની ગઈ છે. એક રાષ્ટ્રીય સર્વેમાં તો એવું સામે આવ્યું છે કે 10થી 17 વર્ષના વયજૂથના લગભગ 1.48 કરોડ બાળકો અને કિશોરો આલ્કોહોલ, અફીણ, કોકીન, ભાંગ સહિત જાત જાતના આવા નશીલા પદાર્થોનું સેવન કરે છે. કોકેન અને ડ્રગ્સના ઉપયોગના રવાડે લોકો ચડી રહ્યા છે. વિકાસશીલ દેશોની તુલનાએ વિકસિત દેશોમાં ડ્રગનો જેવાં નશાકારક પદાર્થોનો ઉપયોગ વધુ છે. ડ્રગ્સ જેવાં નશાના અંધારામાં ગરકાવ થઈ રહેલી આ નવી પેઢીની આ એક વરવી વસ્તવિકતા છે.
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ‘નશાબંધી’ સપ્તાહની ઉજવણી હાલમાં થઇ રહી છે, જેમાં પૂરા રાજ્યમાં નશાબંધી અને આબકારી ખાતું નશાબંધી માટે વિવિધ જનજાગૃતિના કાર્યક્રમોથી થકી લોકો નશામુક્ત બને તે માટેના પ્રયાસો કરે છે, જયારે વ્યસની લોકોની જીવનશૈલીમાં જ નશો ન રહે તેવા બધી બાજુથી સાચા અને હકારાત્મક પ્રયાસો થશે. તો જ વ્યસન મૂળમાંથી જશે. તેમજ નશાબંધીની જાગૃતિ સાર્થક થશે. સરકાર પણ નશાને રોકવાના ખૂબ પ્રયાસો કરી રહી છે. ગુજરાતમાં દારૂબંધી છે. તે બાબત સર્વવિદિત છે પણ છેલ્લા કેટલાક સમયથી રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાંથી ડ્રગ્સ, ગાંજા વગેરેના રેકેટ બહાર આવવા તે હવે રાજ્યમાં નશો માત્ર દારૂ પૂરતો સિમિત નથી રહ્યો તે બાબતને પણ આડકતરી રીતે સમર્થન કરે છે,
દારૂ ઉપરાંત રાજ્યમાંથી ગાંજો, અફીણ, ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોનો વ્યાપ નશા માટે વધવા લાગ્યો છે. પરંતુ એના પરથી સમજી શકાય છે કે લોકો અને ખાસ કરીને યુવા પેઢી નશાની લતે ચઢવા લાગી છે, જે નરી વાસ્તવિકતા છે. આવા દરેક પ્રકારના નશોઓની દેખાદેખી ન કરતાં પોતે નશો કરતાં અટકી જઈએ.. એવી MY SAMACHARની લાગણી અવશ્ય છે. કેમ કે વ્યસનમુક્ત જીવન એ ઉન્નત જીવન છે.