• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, August 1, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ગુજરાતનાં શિક્ષણનો સટીક એકસ-રે : IAS અધિકારીએ સ્પષ્ટ લખ્યું કે,……

My Samachar by My Samachar
June 26, 2023
in ગાંધીનગર
Reading Time: 1 min read
A A
ગુજરાતનાં શિક્ષણનો સટીક એકસ-રે : IAS અધિકારીએ સ્પષ્ટ લખ્યું કે,……
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:ગાંધીનગર

તાજેતરમાં જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સરકારે શાળા પ્રવેશોત્સવ ઉજવ્યો. આ પ્રવેશોત્સવ દરમિયાન પરંપરા મુજબ, રાજ્યભરમાં IAS અધીકારીઓને જુદાં જુદાં જિલ્લાઓમાં શિક્ષણની સ્થિતિ ચકાસવા મોકલવામાં આવ્યા હતાં. શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ સમીક્ષા બેઠક યોજી. આ સમીક્ષા બેઠકમાં શું બન્યું ? તે જાણવું રસપ્રદ છે. મુખ્યમંત્રીએ રથયાત્રાનાં બીજાં દિવસે આ સમીક્ષા બેઠક યોજી હતી. સ્વર્ણિમ સંકુલ-1નાં સાબરમતી હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં ખાણખનિજ કમિશનર, CMOનાં જુનિયર યુવા અધિકારીઓ અને સચિવાલયના અલગ અલગ કેડરના સચિવોએ મુખ્યમંત્રી સમક્ષ જુદાં જુદાં પ્રકારનાં ફિડબેક શાળા પ્રવેશોત્સવ અંગે આપ્યા. જેમાં કેટલીક જમીની હકીકતો પણ બહાર આવી.

આ સમીક્ષા બેઠકમાં કેટલાંક IAS અધિકારીઓએ પોતાની સ્ટાઈલ મુજબ, સરકારની પ્રશંસાઓ શરૂ કરતાં ચતુર મુખ્યમંત્રી સ્થિતિ પામી ગયા. મુખ્યમંત્રીએ ઉપસ્થિત અધિકારીઓને સ્પષ્ટ કહ્યું : આપણે અહીં ગુણગાન ગાવા એકઠાં નથી થયાં. શિક્ષણની સાચી સ્થિતિ જણાવો. સારી વાતો નથી સાંભળવી. મુખ્યમંત્રીએ આ સૂચના આપતાં જ અધિકારીઓએ, રાજ્યનાં શિક્ષણનો સટીક એકસ-રે બેઠકમાં રજૂ કરી દીધો ! અને, બેઠકમાં સન્નાટો વ્યાપી ગયો. અંતે, આભારવિધિ મુખ્ય સચિવે કરવી પડી.

દરમિયાન, જાણવા જેવી એક હકીકત એ બહાર આવી છે કે – રાજ્યનાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગનાં કમિશનર ધવલ પટેલએ, પોતે શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં શું જોયું ? તે અંગે રાજ્યનાં પ્રાથમિક શિક્ષણ વિભાગનાં સચિવને એક પત્ર લખ્યો. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં, સમગ્ર રાજ્યમાં શિક્ષણ સંબંધિત ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સરકારનાં ખુદ પ્રવક્તા મંત્રીએ આ મુદ્દે સ્પષ્ટતા કરવી પડી છે.

IAS ધવલ પટેલએ પત્રમાં જણાવ્યું છે કે : છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર નીચું છે. ધોરણ 8 માં ભણતાં વિદ્યાર્થીઓ પણ ગુજરાતી છૂટક છૂટક વાંચે છે. તેઓને સરવાળા કરતાં પણ ફાવતું નથી. પાંચ પૈકી માત્ર એક જ શાળાનાં વિદ્યાર્થીઓ કાંઈક સરખાં જવાબો આપી શકયા છે. આ ગરીબ આદિવાસી પરિવારનાં બાળકો માટે શિક્ષણનો અન્ય કોઈ વિકલ્પ નથી. આપણે એમને સડેલું શિક્ષણ આપી અન્યાય કરી રહ્યા છીએ. તેઓ પેઢી દર પેઢી મોટાં થઈ મજૂરી જ કરતાં રહે અને આગળ ન વધે, તે આપણે સુનિશ્ચિત કર્યું છે !

આ પત્રમાં વધુમાં કહેવાયું છે કે, વાલીઓ શાળાના શિક્ષકો પર આંધળો વિશ્વાસ મૂકે અને આપણે તેમની સાથે છળ કરીએ, એ નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા છે. ભૌતિક સગવડો અને પૂરતાં શિક્ષકો છતાં શાળાઓની હાલત આ છે. આ સનદી અધિકારીએ લખ્યું છે: ધોરણ આઠના વિદ્યાર્થીઓ સરખી રીતે વાંચી શકતાં નથી. શાળાકીય કસોટીમાં સામૂહિક ચોરી થાય છે. ‘દિવસ’ શબ્દનો વિરોધાર્થી શબ્દ બાળકોને ખ્યાલ નથી. ધોરણ આઠની છાત્રા ભારતનાં નકશામાં હિમાલય કે ગુજરાત ક્યાં છે ? તે પણ દેખાડી શકી નથી ! ધોરણ પાંચના બાળકો બાદબાકી કરી શકતાં નથી. ધોરણ ચારની એક બાળકીને સાદો સરવાળો કરવા કહેવામાં આવ્યું, તેને સરવાળો આવડતો ન હોય તે રડવા લાગી હતી !

અધિકારીનાં આ પત્ર પછી, સરકારે સ્પષ્ટતા કરી કે…..

ખાણ ખનિજ કમિશનરનો આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજ્યમાં દોડધામ મચી. સરકાર વતી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ સ્પષ્ટતા કરવી પડી હતી. તેઓએ જણાવ્યું છે કે, સરકાર પાસે શાળા પ્રવેશોત્સવનાં ફિડબેક પહોંચ્યા છે. રાજ્યમાં જ્યાં પણ શિક્ષણમાં જે કાંઈ ક્ષતિઓ રહી હોય, ધ્યાન પર આવી હોય, તે ખામીઓ દૂર કરવા મુખ્યમંત્રી દ્વારા સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યનાં દરેક જિલ્લામાં, દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે અને તે માટે જે કાંઈ જરૂરી પગલાંઓ હોય, આ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરની આશરે દસેક હજાર સોસાયટીઝ-એપાર્ટમેન્ટ્સએ હવે…

July 31, 2025
કચરાનું વ્યવસ્થાપન : ગુજરાતની ખામીઓ ગણાવતું NGT

JMCનો કચરો આખરે ગંધાયો : GPCBએ મુલાકાત લેવી પડી…

July 31, 2025
ખાંભીપૂજન: જામનગરનો 486મો સ્થાપનાદિન….

ખાંભીપૂજન: જામનગરનો 486મો સ્થાપનાદિન….

July 31, 2025
સૌરાષ્ટ્રમાં હવે ઓઈલ-ગેસ ‘ખોદી’ કાઢવામાં આવશે: રિલાયન્સ-ONGC અને BP

સૌરાષ્ટ્રમાં હવે ઓઈલ-ગેસ ‘ખોદી’ કાઢવામાં આવશે: રિલાયન્સ-ONGC અને BP

July 30, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરની આશરે દસેક હજાર સોસાયટીઝ-એપાર્ટમેન્ટ્સએ હવે…

July 31, 2025
કચરાનું વ્યવસ્થાપન : ગુજરાતની ખામીઓ ગણાવતું NGT

JMCનો કચરો આખરે ગંધાયો : GPCBએ મુલાકાત લેવી પડી…

July 31, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®