Mysamachar.in-જામનગર
જામનગર ખંભાળિયા હાઈવે પર ઝાંખર ગામના પાટિયા નજીક અતુલ રીક્ષા અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે, રીક્ષા ટેન્કર સાથે અથડાઈ જતા 7 લોકો ઈજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલ જામનગર ખાતે ખસેડવામાં આવ્યા છે, બનાવની જાણ થતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો હાલ તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.