Mysamachar.in:જામનગર
એન્ટી કરપ્શન બ્યુરોએ પણ સરકારી કચેરીઓમાં દિવાળી કાઢવાની શરૂઆત કરી દીધી છે, અને લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ અવિરત છે, એવામાં ત્રણ દીવસ પૂર્વે એસીબી ટીમ જામનગરને ખાનગીરાહે આધારભુત માહિતી મળેલ કે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારી કર્મચારી દ્વારા ફૂડ લાઇસન્સ કાઢી આપવા માટે રૂ.૫૦૦ થી રૂ.૫૦૦૦ લાંચ પેટે માંગણી કરી મેળવે છે અને આવા લાંચના રૂપિયા ન મળે ત્યાં સુધી વેપારીને ફૂડ લાઇસન્સ મળતું ના હોવાની ફરિયાદ ઉઠી હતી
જે બાદ એસીબીને સહકાર આપનાર ડિકોયરનો સંપર્ક કરી લાંચના ડિકોય છટકાનું આયોજન કરતા, મનપાની ફૂડ શાખાનો પટ્ટાવાળો ડાયા હુણ રૂપિયા 500 ની લાંચ લેતા ઝડપાઈ ચુક્યા બાદ આ મામલો કાઈ શાંત પડ્યો હોય તેવું નથી એસીબી તો આ મામલે વધુ ઊંડી તપાસ કરવા માંગે છે, અને તપાસમાં ઊંડું ઉતરવાનું શરુ કરી દીધું છે, કારણ કે પટ્ટાવાળાએ કોના કહેવાથી લાંચ લીધી છે.? કે પોતે જ લેવા ગયો હતો.? કોનું લાયસન્સ હતું.? કુલ કેટલા રૂપિયાની વાતચીત હતી.? એસીબીના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ મામલે મનપાના એક ફૂડ ઇન્સ્પેકટરને તપાસનીશ ટીમ દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે, જે બાદ તેની પૂછપરછ કરવામાં આવશે અને જો કોઈ રોલ તેનો પ્રસ્થાપિત થતો હશે તો આગળની કાર્યવાહી થશે તેમ એસીબીના આધારભૂત સુત્રો જણાવે છે.ત્યારે આ મામલે શું નવાજૂની થશે કે કેમ તે જોવાનું છે.