Mysamachar.in-જામનગર:
જામનગરમાં સત્કર્મ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે સતત ત્રીજા વર્ષે પણ જામનગર લોહાણા સમાજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ડિસ્કાઉન્ટ રેટ થી નોટબુક, સ્ટેશનરી, સ્કૂલના બુટ-મોજા, સ્કુલ બેગ,વોટર બેગ, લંચ બોક્સ તથા અન્ય સ્ટેશનરી ખૂબ જ ડિસ્કાઉન્ટરેટથી, ફોર્મ બહાર પાડી અને પરત મેળવેલ , આ વર્ષે 800 થી વધારે ફોર્મ ભરાયેલ અને તેની અલગ અલગ કીટ 50થી વધારે કાર્યકર્તાઓએ આ સેવા કાર્ય માટે ફક્ત 20 દિવસના ટૂંકા સમયમાં તૈયાર કરેલ અને તેનું વિતરણ ગત રવિવારના રોજ ગાંધીનગર રોડ,વિશ્વકર્મા બાગ ખાતે કરવામાં આવેલ…
વિશ્વકર્મા બાગ ખાતે આયોજિત આ વિતરણ કાર્યક્રમ સવારે 10 થી બપોરે 2 સુધી રાખેલ તેમાં બધા સ્ટોલ નો પણ બહોળી સંખ્યામાં લોહાણા સમાજના વિદ્યાર્થીઓએ લાભ લીધેલ. તેમાં દાતાઓ, જ્ઞાતિ અગ્રણીઓ અને લોહાણા મીડિયા પરિવાર અગ્રણીઓ આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા આ વિતરણ સમારંભમાં હાજર રહેલ જે પૈકી હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુ લાલ, હસમુખભાઈ હિંડોચા, ધામેચા પરિવારના લંડનથી પધારેલા પ્રદીપ ધામેચા, દિનેશ મારફતિયા, રાજુ મારફતિયા, નીરજ દતાણી, વિપુલકોટક, માય સમાચારના રવિ બુદ્ધદેવ, દર્શન ઠક્કર, નોબત પરિવારના ચેતન માધવાણી, GTPL જામનગરના જયેશ રૂપારેલીયા, અશોક જોબનપુત્રા, કોર્પોરેટર સુભાષ જોશી, પન્નાબેન કટારીયા, વિશ્વકર્મા બાગના દિલીપમામા પણ ઉપસ્થિત રહેલ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સત્કર્મ મિત્ર મંડળના બાદલ રાજાણી, કોમલબેન અને નિશાંતભાઈ તેમજ શ્રી સત્કર્મ મિત્ર મંડળના ટીમવર્ક થી આ કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયેલ છે.