• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, April 23, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

મિલ્કતોના ખરીદ-વેચાણ વખતે, ‘આ’ સર્ટિફિકેટ બની શકે છે ફરજિયાત…

My Samachar by My Samachar
June 6, 2023
in ગાંધીનગર
Reading Time: 1 min read
A A
મિલ્કતોના ખરીદ-વેચાણ વખતે, ‘આ’ સર્ટિફિકેટ બની શકે છે ફરજિયાત…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:ગાંધીનગર

જામનગર સહિત રાજ્યભરમાં ઘણાં લોકો એવાં હોય છે જેઓ લાંબા સમયથી કોર્પોરેશનને મિલકતવેરા સહિતનાં વેરાઓ અને ચાર્જીસની રકમો ચૂકવતાં હોતાં નથી. ઘણાં લોકો લાંબા સમયથી વીજબિલનાં નાણાં સહિતના સરકારી લેણાઓ પણ ચૂકવતાં હોતાં નથી. આ પ્રકારના લોકો આગામી સમયમાં મુશ્કેલીમાં મુકાઇ શકે છે. તાજેતરમાં રાજય સરકારે ચિંતન શિબિર યોજી હતી. આ શિબિરમાં IAS અધિકારીઓનાં એક જૂથે સરકારને એવી ભલામણ કરી છે કે, રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની મિલકતની ખરીદી કરે કે વેચાણ કરે – ત્યારે તે બંને પક્ષોએ સરકારમાં એક એવું No Due પ્રમાણપત્ર રજૂ કરવું જોઈએ કે, તે વ્યક્તિઓ પર કોઈ પણ પ્રકારનો કરબોજ બાકી નથી.

ચિંતન શિબિરમાં ખાસ કરીને શહેરી વિકાસ સંબંધિત શાસનમાં સુધારાઓની ચર્ચા વખતે આ ભલામણ કરવામાં આવી હતી. ગત્ મહિને કેવડિયા ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં આ ભલામણ કરવામાં આવી હતી. આ તમામ ભલામણો હાલ મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવામાં આવી છે. આગામી દિવસોમાં સરકાર કક્ષાએથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે વેરાઓ અને ચાર્જીસની વસૂલાતો બાકી છે તેનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. જો સરકાર IAS અધિકારીઓનાં આ જૂથની ભલામણો સ્વીકારી લેશે તો, કોઈ પણ વ્યક્તિએ મિલ્કતની લેવેચ સમયે આ પ્રકારનું “નો ડયૂ” પ્રમાણપત્ર રજૂ કરવું પડે એવી વ્યવસ્થા આગામી દિવસોમાં શરૂ થશે એમ માનવામાં આવે છે. નેતાઓ અને અધિકારીઓ આ ભલામણોને બાકી વેરા વસૂલાત માટે અમોઘ શસ્ત્ર માની રહ્યા છે.

-આ ઉપરાંત અધિકારીઓનાં આ જૂથે સરકારને એવી ભલામણ પણ કરી છે કે,

સરકારને સ્ટેમ્પ ડયુટીની જે આવકો થાય છે તેમાંથી અમુક ટકા રકમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવી જોઈએ. કેમ કે, આ સંસ્થાઓ શહેરોમાં જે સુવિધાઓ પૂરી પાડે છે તેને કારણે મિલ્કતોના ભાવોમાં વધારો થતો હોય છે. અધિકારીઓએ એમ પણ કહ્યું કે, દરેક શહેરમાં મિલ્કતોની માપણી geographical information system થી થવી જરૂરી છે. તેનાં વડે દબાણોને પણ અલગ તારવી શકાય. જૂથે એવી પણ ભલામણ કરી છે કે, કોર્પોરેશન અથવા નગરપાલિકા જયારે પણ મિલકતધારકને બાંધકામ વપરાશ મંજૂરી (બિલ્ડીંગ યૂઝ પરમિશન) આપે તે જ દિવસથી મિલકતધારકોને પ્રોપર્ટી ટેક્સ સહિતના ચાર્જીસ માટેનાં બિલો આપવા જોઈએ.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરનો ફ્લાયઓવર: રૂ. 33.78 કરોડનો વધારાનો ખર્ચ શા માટે ? આ રહ્યો જવાબ…

જામનગરનો ફ્લાયઓવર: રૂ. 33.78 કરોડનો વધારાનો ખર્ચ શા માટે ? આ રહ્યો જવાબ…

April 23, 2025
અંગૂઠાછાપ બચી જાય અને ભણેલાંઓ ભેરવાઈ જાય તે છે સાઈબર ક્રાઈમ

ગુજરાતીઓ ઓનલાઈન લિંક ક્લીક કરે છે અને કરોડો ગુમાવે છે..!

April 23, 2025
જામનગર લોકસભા : મહિલા મતદારો આટલાં ઉદાસીન કાં ?

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના ચક્રો હજુ ગતિમાન થયા નથી…

April 23, 2025
જામનગરના પ્રદર્શન મેદાનમાં ST તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન…

જામનગરના પ્રદર્શન મેદાનમાં ST તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન…

April 23, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરનો ફ્લાયઓવર: રૂ. 33.78 કરોડનો વધારાનો ખર્ચ શા માટે ? આ રહ્યો જવાબ…

જામનગરનો ફ્લાયઓવર: રૂ. 33.78 કરોડનો વધારાનો ખર્ચ શા માટે ? આ રહ્યો જવાબ…

April 23, 2025
અંગૂઠાછાપ બચી જાય અને ભણેલાંઓ ભેરવાઈ જાય તે છે સાઈબર ક્રાઈમ

ગુજરાતીઓ ઓનલાઈન લિંક ક્લીક કરે છે અને કરોડો ગુમાવે છે..!

April 23, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®