• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, August 2, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

વર્ષો સુધી રૂમમાં પુરાઈને રહી ત્રણ જિંદગીઓ…આ કિસ્સાએ રાજ્યભરમાં જગાવી છે ચર્ચાઓ

My Samachar by My Samachar
December 28, 2020
in રાજકોટ
Reading Time: 1 min read
A A
વર્ષો સુધી રૂમમાં પુરાઈને રહી ત્રણ જિંદગીઓ…આ કિસ્સાએ રાજ્યભરમાં જગાવી છે ચર્ચાઓ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-રાજકોટ

એક જ રૂમમાં કોઈને પુરાઈ રહેવું ગમે ખરા…અને એ પણ વર્ષો સુધી….હા કિસ્સો સૌરાષ્ટ્રના રાજકોટમાં હકીકતમાં સામે આવ્યો છે, ઉચ્ચ અભ્યાસ કરનાર એક બહેન અને તેના બે ભાઈઓ વર્ષો સુધી એક જ રૂમમાં પુરાઈને જીવવા ખાતર જીવતા હતા, પણ અંતે સેવાભાવી સંસ્થાના આગેવાનોએ રૂમમાં પુરાયેલા આ ત્રણેયને બહાર કાઢ્યા છે, રાજકોટના કિસાનપરા ચોકમાં કંપારી છોડાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. કિસાનપરા ચોક શેરી નં.8માં સાથી સેવા ગ્રુપ દ્વારા આશરે 10 વર્ષથી એક જ ઓરડીમાં બંધ બે ભાઈ અને એક બહેનને બહાર કાઢવામાં આવ્યા છે, LLB બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ હોવાથી તે રૂમમાં પુરાઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે, અને તેને કારણે પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા. સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડી ત્રણેયને બહાર કાઢ્યા હતા.

ત્રણેય ભાઈ-બહેનને છોડાવવા માટે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ દોડી ગઈ હતી. પિતાએ ત્રણેયને દરવાજો ખોલવા માટે આજીજી કરી પણ ખોલ્યો નહી. મકાનની ડેલી સાથી સેવા ગ્રુપના એક સભ્યએ દીવાલ ટપી ખોલી હતી. જ્યારે અંદર રૂમનો દરવાજો બંધ હોવાથી પિતાએ દરવાજો ખોલવા ઘણી આજીજી કરી હતી. પરંતુ દરવાજો ન ખોલતા આખરે સાથી સેવા ગ્રુપની ટીમે દરવાજો તોડવો પડ્યો હતો. અંદર ત્રણેય ભાઈ-બહેન અઘોરી જેવુ જીવન જીવતા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હાજર સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા,  બંને ભાઈની દાઢી અને વાળ વધી ગયેલા જોવા મળ્યા હતા.

ત્રણેય ભાઈ-બહેન આશરે 10 વર્ષથી અંદર રહેતા હતા. અમે દરવાજો તોડીને અંદર ગયા હતા. તેમના પિતા નિવૃત્ત સરકારી કર્મચારી છે અને 35 હજાર જેટલું પેન્શન આવે છે. ત્રણેયની ઉંમર 30થી 42 વર્ષ જેટલી છે. તેમના પિતા પરિવાર સાથે વાત કરીને નિર્ણય લેશે. ત્રણેય સંતાનોના પિતા નવીનભાઈ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષો સુધી દવા અને દુવા બંને કરી છે રાજકોટ શહેરના સારામાં સારા મનોચિકિત્સક તેમજ ઘણી મોટા નામ ધરાવતી ધાર્મિક જગ્યાઓના મહંતો તેમજ આચાર્ય પાસેથી પણ સારું થઈ જાય તે માટે જોવરાવાનું કામ કરાવ્યું છે. તેમ છતાં આજ દિવસ સુધી તેમના સંતાનોનું ક્યારેય પણ સારું નથી થયું. મોટા પુત્રનું નામ અંબરીશ મહેતા છે તેણે વકીલનો અભ્યાસ કર્યો છે. તેમજ તે વકીલાત પણ કરતો હતો. સંતાનમાં બીજા નંબરે મેઘા મહેતા નામની દીકરી છે તેણે એમ.એ. વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે.

જે રાજકોટ શહેરની કણસાગરા કોલેજમાં ભણતી હતી. ત્રીજા નંબરનો દિકરો ભાવેશ મહેતા છે તે પણ ઇકોનોમીમાં બી.એ. ફર્સ્ટ છે. સાથોસાથ તે રાત્રિ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો. જ્યારથી ત્રણેય સંતાનોએ પોતાની માતા ગુમાવી છે ત્યારથી ત્રણેય સંતાનો ઉપર કોઈએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય તેવું તેના પિતાનું કહેવું છે, નવીનભાઈનો નાનો દીકરો તુલસી ખાતો હતો એટલે તેમાં કંઈ ભેળવી દઈ કોઈકે કંઇ ખવડાવ્યું છે. આથી તે મારામારી કરતો હતો. 1986થી તેની મમ્મી બીમાર પડી ત્યારથી અસર થઈ છે. પાંચ વર્ષ પહેલા તેની મમ્મી ગુજરી ગઈ ત્યારથી આવી હાલતમાં રહે છે. છ વર્ષથી આ જ પરિસ્થિતિમાં છે. દવાની કોઈ અસર થતી નથી.

એક જૂનવાણી મકાનમાં ત્રણેય ભાઈ-બેન રહેતા હતા. બે ભાઈની માનસિક સ્થિતિ ખરાબ છે જ્યારે બહેનની હાલત સારી છે. આથી બંને ભાઈને તે સાચવી રહી છે. 82 વર્ષીય નવીનભાઈ મહેતાના ત્રણેય સંતાનો છે. નવીનભાઈ જ ત્રણેય સંતાનોને જમવાનું પહોંચાડતા હતા. રૂમમાં ભાઈઓ સાથે રહેતી નવીનભાઈની દીકરીએ જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે અમે સાતથી આઠ મહિના સુધી બહાર નીકળતા નહોતા. લોકડાઉન પહેલા હું શાકભાજી અને કરિયાણું લેવા બહાર નીકળતી હતી. ચિંતાને કારણે એક જ રૂમમાં પુરાય રહ્યાનું પણ બહાર આવી રહ્યું છે. હાલ આ ત્રણેયને કંઈ જગ્યાએ રાખવા તે અંગે પરિવારજનો ચર્ચા કરી રહ્યાં છે. સુરતના એક આશ્રમમાં ખસેડવાની વાત પણ ચાલી રહી છે.

ત્રણેય ભાઈ-બહેનના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા સંતાનો પર નજીકના સંબંધીઓએ જ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો છે. આથી આ સ્થિતિમાં તેઓ એક જ ઓરડીમાં છ વર્ષ સુધી પુરાય રહ્યાં હતા. આજુબાજુમાં રહેતા લોકોનું પણ કહેવું હતું કે છેલ્લા છ વર્ષથી તો આ તમામ ત્રણેય ભાઈ-બહેન ઘરની અંદર જ રહે છે. એક સમયે આ તમામ ત્રણેય ભાઈબહેન ભણવામાં ખૂબ જ આગળ પડતા હતા. રાજકોટ શહેરમાં આજે આ ઘટના સામે આવી છે તે ઘટના અંગે લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ તો એ જ થાય છે કે આખરે ત્રણેય ભાઈ-બહેનો અંધશ્રદ્ધાના શિકાર છે કે પછી માનસિક બીમાર છે.તે તમામ વચ્ચે આ ત્રણ ભાઈ બહેન ઉચ્ચ અભ્યાસુ છે તે આ હાલતમાં પડ્યા રહ્યાને જિંદગીના વર્ષો ખત્મ કરી નાખ્યા હવે આગળ ત્રણેયની જિંદગી કેવી રીતે અને કેમ પસાર થશે કોણ આગળ આવશે તેના પિતા સહમતી આપશે કે કેમ તે તમામ બાબતો પર મીટ મંડાયેલી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

રાહતના સમાચાર : હાલ ગુજરાતમાં કયાંય હીટવેવ નહીં

વધુ વરસાદ વરસ્યો, વધુ વરસાદ વરસશે : હવામાન વિભાગ 

August 2, 2025
હવે રાજ્યમાં ખાતરમાં તોતિંગ કૌભાંડ .? જામનગરનું એસોસિએશન પણ સાણસામાં…

હવે રાજ્યમાં ખાતરમાં તોતિંગ કૌભાંડ .? જામનગરનું એસોસિએશન પણ સાણસામાં…

August 2, 2025
જામનગરમાં ડીજીટલ એરેસ્ટ,કઈ રીતે 13 લાખ ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા વાંચો  

ગુજરાતનું સૌથી મોટું ડિજિટલ એરેસ્ટ : જામનગરના 3 ની પણ ધરપકડ…

August 2, 2025
જામનગર શહેરના વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી: મુળુભાઈ બેરા

જામનગર શહેરના વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી: મુળુભાઈ બેરા

August 1, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

રાહતના સમાચાર : હાલ ગુજરાતમાં કયાંય હીટવેવ નહીં

વધુ વરસાદ વરસ્યો, વધુ વરસાદ વરસશે : હવામાન વિભાગ 

August 2, 2025
હવે રાજ્યમાં ખાતરમાં તોતિંગ કૌભાંડ .? જામનગરનું એસોસિએશન પણ સાણસામાં…

હવે રાજ્યમાં ખાતરમાં તોતિંગ કૌભાંડ .? જામનગરનું એસોસિએશન પણ સાણસામાં…

August 2, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®