Mysamachar.in-રાજકોટ:
રાજકોટના મોરબી રોડ પર એક પતિ-પત્નીએ સાથે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે, પોલીસને જયારે ઘટનાની જાણ થયા બાદ પોલીસે ઘરમાં જઈને જોયું તો તેમના હોંશ ઉડી ગયા હતા. ઈમિટેશનના વેપારી અશોકભાઇનો મૃતદેહ બાથરૂમમાં પડ્યો હતો, તો તેમની પત્નીનો મૃતદેહ બહાર હતો. હાલ પોલીસે બન્નેના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. આ ઘટનામાં બન્ને પતિ-પત્નીએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ જાણવા મળી શક્યું નથી.અને તે ચોક્કસ કારણ જાણવા પોલીસ આગળ વધી રહી છે.
ઈમિટેશનના ધંધા સાથે જોડાયેલા અશોકભાઈ પાંભર અને તેમની પત્ની પ્રભાબેન પાંભરે કોઈ કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આત્મહત્યા પાછળનું કારણ પોલીસે આર્થિક સંકળામણ આપ્યું છે. હાલ તો પોલીસ પણ ચોક્કસ કારણ જાણવા ઘરની ઝીણામાં ઝીણી વિગતોની તપાસ કરી રહી છે, તો આપઘાતની આ ઘટના સાથે આશ્ચર્યની વાત તો એ છે કે, જે જગ્યાએ બન્ને જણાંએ આત્મહત્યા કરી ત્યાંથી કાતર, ચપ્પુ, પાણી ભરેલી ડોલ, ગ્લાસ, ઝેરી દવા જેવી વસ્તુઓ મળી આવી છે. અને તેના થોડાક જ અંતરમાં મહિલાનો મૃતદેહ પડ્યો છે. અને પતિ અશોક પાંભરનો મૃતદેહ બાથરૂમમાં પડ્યો છે. હાલ બન્નેના આપઘાત પાછળનાં ચોક્કસ કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.