Mysamachar.in:જામનગર
પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના એક નાયબ ઈજનેરને ચેક રીટર્ન કેસમાં કોર્ટે સજા અને વળતરનો હુકમ કર્યો હોવાની વિગતો સામે આવી છે, જામનગર ખાતે વસવાટ કરતા નિવૃત પોલીસ કર્મચારી વાલજીભાઈ રાજાભાઈ ચાવડાએ PGVCLના નાયબ ઈજનેર નિરવ હર્ષદકુમાર શાહના પિતા હર્ષદભાઈ શાહ સાથે મિત્રતા હોય, જેથી નાયબ ઈજનેર નિરવ શાહ સાથે પણ પરીચય અને ઓળખાણ થયેલ, જેણે બેંકની લોન ભરપાઈ કરવા માટે ફરીયાદી નિવૃત પોલીસકર્મી પાસેથી 10 લાખ લીધેલા, ફરીયાદીએ આરોપીને તેમના ખાતામાંથી 10 લાખ આરોપીના ખાતામાં ટ્રાન્સફર કરી અને આપેલ, અને આ બાબતનું સમજુતીનું લખાણ પણ કરવામાં આવેલ.
આ ૨કમની પરત ચુકવણી માટે આરોપીએ ફરીયાદીને તેમના ખાતાનો ચેક આપેલ અને વિશ્વાસ અને ભરોષો આપેલ કે, નિયત મુદત તારીખે ચેક જમાં કરવાથી લેણી રકમ મળી જશે અને ચેક પાસ થઈ જશે, જેથી ફરીયાદીએ આરોપીએ આપેલ ચેક તેમના ખાતામાં જમાં કરાવતા ચેક એકાઉન્ટ ક્લોઝડના એન્ડોસમેન્ટથી પરત ફરેલ, આ રીતે ફરીયાદીને તેની કાયદેસરની લેણી રકમ મળેલ નહી, જેથી ફરીયાદીએ આરોપીને લીગલ નોટીસ પાઠવેલ, તેમ છતાં ફરિયાદી નિવૃત પોલીસ કર્મચારીને તેમની કાયદેસરની લેણી રકમ પણ ચુકવેલ નહી, જેથી ફરીયાદીએ અદાલતમાં આરોપી સામે નેગોશ્યબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ તળે ફરીયાદ દાખલ કરેલ, તેમાં આરોપી હાજર થયેલ અને કેશ ચાલેલ, જેમાં આરોપી તરફે ફરીયાદીની ઉલટ તપાસ કરવામાં આવેલ અને એવો બચાવ લેવામાં આવેલ કે, “આરોપી સાથે ફરીયાદીને કોઈ મિત્રતા નથી.
આરોપીના પિતા સાથે ફરીયાદીને મિત્રતા હતી અને પૈસા ફરીયાદીએ આરોપીના પિતાને આપેલ હતા, પરંતુ તેઓ નિવૃત થઈ ગયેલ હોય અને આરોપી નાયબ ઈજનેર હોય જેથી પોતાની લેણી ૨કમ આરોપીના પિતા પાસે હતી પરંતુ ચેક આરોપીનો લેવામાં આવેલ હતો,” અને એવો પણ બચાવ લીધેલ કે, “આરોપીને આપેલ ૨કમનો કોઈ જ પુરાવો નથી” અને ચેકમાં સહી અને જે નોટીસ મોકલેલ છે તે મળયા અંગેની એકનોલેજમેન્ટમાં અલગ અલગ સહીઓ છે, આ તમામ બચાવ લેવામાં આવેલ અને કેશના તમામ પાસાઓથી આરોપી પક્ષે ઉલટ તપાસ કરેલ, ત્યારબાદ કેશ દલીલ ઉપર આવતા આરોપી પક્ષે દલીલો થયેલ કે, જે વ્યવહાર હતો તે આરોપી અને ફરીયાદી વચ્ચેનો ન હતો ફરીયાદી અને આરોપીના પિતા વચ્ચેનો હતો અને આટલી મોટી રકમ આપવાનો કોઈ આધાર નથી રજુ કરે ફરીયાદીએ આરોપી સાથે મિત્રતાનો વ્યવહાર સાબીત કરેલ નથી તેવી દલીલો કરવામા આવેલ,
જેના સામે ફરીયાદ પક્ષે દલીલો કરવામાં આવેલ કે, હાલનો ચેક રીટર્ન અંગેનો કેશ છે અને આરોપીએ આ ચેક ફરીયાદી પાસે ખોટી રીતે આવેલ છે તે સાબીત કરવાનું રહે છે સમગ્ર કેશ ચાલેલ તે દરમયાન આરોપીએ એવી કોઈ જ સાબીતી આપેલ નથી કે, ચેક ફરીયાદી પાસે ખોટી રીતે આવેલ છે અને જે બચાવ લેવામાં આવેલ છે તે માત્ર પોતાનો કથીત બચાવ લેવામાં આવેલ છે તેનો કોઈ સોલીડ પુરાવો અદાલતમાં રજુ કરવામાં આવેલ નથી કે, અદાલત એમ માને કે, આરોપી અને ફરીયાદી વચ્ચે કોઈ વ્યવહાર જ નથી, અને ફરીયાદીએ જે ૨કમ આપેલ છે તે બેંક મારફત આપેલ છે જેથી રકમ આપેલ હોય તેનો કાઈ પુરાવો નથી તેવી દલીલો ટકી શકે નહીં,
હાલ ભારત સરકાર કેશલેશ ટ્રાન્સેશન અને ડીઝીટલાયઝેશન તરફ આગળ વધી રહી છે, જેમાં ચેક તે એવી સંવેદનશીલ વસ્તુ છે, જે લોકરમાં રાખેલ કે, ઘરમાં રાખેલ ધરેણાં જેટલી અગત્યની વસ્તુ છે, હાલના કેશમાં જે ચેક રીટર્ન થયેલ છે, તે કોઈ સહી ખોટી હોય તેના કારણે થયેલ નથી, આરોપીએ જાણી જોઈને એકાઉન્ટ બંધ કરાવી દીધેલ છે, અને આરોપી કોઈ અનપઢ વ્યકિત હોય, તેવું નથી તે એક નાયબ ઈજનેર ક્ક્ષાના કલાસ ટુઓફીસર છે, જેથી આરોપીએ ફરીયાદીની મોટી ૨કમ પડાવી લઈ અને ચેક આપી અને ત્યારબાદ ખાતું બંધ કરાવી અને ખુબજ ગંભીર ગુન્હો કરેલ છે, અને નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138માં જણાવેલ સખત સજા આપવી જોઈએ જેથી સમાજમાં પણ આ પ્રકારે ચેક આપી અને ખાતું બંધ કરાવી નાખનારને દાખલો બેસે.
જે બાદ અદાલતે તમામ પાસાઓ ઉપર વિચાર કરી અને ત્યારબાદ તમામ પુરાવો ધ્યાને લઈ અને ફરીયાદ પક્ષે રજુ થયેલ પુરાવા અને દલીલો માન્ય ગણી અને આરોપી એવા PGVCLના નાયબ ઈજનેર નિરવ હર્ષદકુમાર શાહને કાયદામાં જણાવેલ મહતમ સજા 2 વર્ષની ફટકારેલ અને 10 લાખ ફરીયાદીને વળતર તરીકે ચુકવાનો આદેશ કરેલ આ કેશમાં ફરીયાદી નિવૃત પોલીસમેન વાલજી રાજાભાઈ ચાવડા તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવીહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ મુછડીયા રોકાયેલા હતા.