Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના પદાધીકારીઓ મહાનગરપાલિકાના ટ્રસ્ટી કહેવાય કેમ કે પ્રજાના ટેક્સરૂપી પૈસામાંથી 300….400….કે 500…કરોડ વેરા…દંડ…ફી પેટે રૂપીયા આવે પ્રત્યક્ષ રીતે પ્રજાના પૈસા સરકાર કે અન્યત્રથી ગ્રાંટ-લોન વગેરે રૂપે આવે તેમા પણ 100 થી 350 કરોડ રૂપીયા આવે તો દર વર્ષે આવતા આ નાણાના સદઉપયોગને કરકસર થી જ ઉપયોગ થવો જોઇએ તે બાબતને મહાનગરપાલિકાના સ્ટે.ચેરમેન સુઝકા સાથે નિભાવે છે માટે તેમને “વધારાનો ખર્ચ” એ બાબતે અધ્યક્ષસ્થાનેથી ગંભીરતા લઇ તે ન કરવાનો ઐતિહાસીક નિર્ણય(આ ઐતિહાસીક એટલે કે વર્ષોથી ચાલતી એક ખોટી પ્રણાલી બંધ કરાવી છે)જાહેર કર્યો છે,
કોર્પોરેશનમા વિકાસ કાર્યો કરવાને પ્રાધાન્ય આપવાનું હોય ને અપાતુ પણ હશે કેમકે વિકાસ માટે ખર્ચ જ એવુ વહેણ છે જેમાથી સૌને “આચમન” મળી રહે અને ચર્ચાતી વાતો મુજબ કોઇપણ કામ લોએસ્ટને આપી જેવુ કામ એ મુજબ ચાર છ મહિને કે એક દોઢ વરસે એ કામમા વધારાનો ખર્ચ મંજુર કરવા દરખાસ્ત જે તે વિભાગ કમિશ્નર દ્વારા સ્ટેન્ડીંગ કમીટીમા મુકાય છે મંજુર પણ થાય પરંતુ લાંબા સમયથી ચાલતી આ “પ્રેક્ટીસ” અંગે હાલના સ્ટે.કમિટી ચેરમેન ચિંતિત હતા,
દરમ્યાન તાજેતરની એક કમીટી બેઠકમા અધ્યક્ષસ્થાનેથી ચેરમેન મનીષ કટારીયાએ પુછ્યુ કે આ વધારાનો ખર્ચ શુ છે? શા માટે છે? કેમ જરૂર પડે? ટેન્ડર મંજુર થયા બાદ કેમ વધુ ખર્ચ કેમ થાય? અને વધુમા સુચના આપી કે રેટ કોન્ટ્રાક્ટ તો મંજુર થયેલા જ છે તે મુજબ જરૂર પડ્યે કામ કરાવા પરંતુ આ રીતે વધારાના ખર્ચની બાબત યોગ્ય નથી તેમ કહી એક પ્રકારે અધ્યક્ષસ્થાનેથી હુકમ જાહેર કર્યો છે( અમલ અંગેની આગામી દિવસોમા સમીક્ષા થશે કારણ કે અમલ થાય છે કે નહિ તે પણ જોવાનું છે)
હાલ આ અંગે ટૂંકી એવી સમીક્ષા કરીએ તો…
1-ચેરમેનના આ અભ્યાસુ હુકમથી ચોક્કસ અધિકારીઓ શીયા વીયા થયા છે( જો કે કોર્પો.મા બધા કોઠા સુઝ સાથે ચોક્કસ મામલે નીવડેલા છે, “રાજી” રેવાના અને રાખવાના..રસ્તાઓ કાઢી લેશે તેમ અમુક કટાક્ષ કરતા હતા)
2-મુળ વિષય એ છે કે સ્ટેન્ડીંગ કે જનરલ બોર્ડમાં થતા મહત્વના કામના ઠરાવ કે મોટા નિર્ણય પારીત થાય તે દરેક મુદાસર રીતે સંગઠનની વોચ અને જાણ હેઠળ પસાર થાય છે કેમ કે સંગઠનનુ જનસેવાનુ મુળ હિત તેમા સચવાયેલુ હોય છે તેમજ સંકલનમા “ઘણા પ્રકારે” ચર્ચાઓ થતી હોય છે પરંતુ આ વધારાના ખર્ચ વાળા પેધી ગયેલા મામલે સંકલનમા ચર્ચા થઇ નથી સંગઠનને ખબર ન હતી પરંતુ યુવા ચેરમેન જે જાગૃત છે અને પ્રજાના પૈસાનો બગાડ ન થાય તે હેતુથી જાતે નિર્ણય લીધો તેવુ ચર્ચાય છે એનો અર્થ એવો નથી કે પાર્ટી પરંપરા તોડી છે પરંતુ શીર્ષસ્થ નેતૃત્વની જે પારદર્શી વહીવટની અપેક્ષા છે તેનુ પાલન કર્યુ છે,
3-આ હુકમ વખતે કળા કરતા અધિકારીઓ કે ચોક્કસ કોઇ નેતાના ઇશારે વહીવટ કરી વધારાના ખર્ચ ને ક્યારેક તો ભાગબટાઇ કમાણી કે સ્વ વિકાસ કે કોઇ કોઇ ને સાચવી લેવાની…વગેરે વગેરે પ્રવૃતિ કરનારા જુથને ખુલ્લા પાડવાનો કોઇ ઇરાદો ચેરમેનનો જરા પણ ન હતો તેવુ સમીક્ષકોએ જણાવ્યુ કે પ્રજાના પૈસા બચાવાય તે આ મુદો અગત્યનો છે
4-જો કે…….મહત્વની બાબત એ પણ છે કે છેલ્લા સવા દોઢ વર્ષમા આ વધારાના ખર્ચના 26 મામલા સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ આ નવી ટીમ સમક્ષ રજુ થયા અને મંજુર પણ થયા ત્યારબાદ આ અંગે ચેરમેન મનિષ એ ચિંતન કર્યુ કે આ શુ છે? પણે ટેન્ડર મંજુર કરીએ ત્યારબાદ શા માટે વધારાનુ ખર્ચ પાછળથી ઉમેરાય છે? ત્યારે તેમને હિંમતપુર્વક વિચારીને વર્ષોની આ પેધી ગયેલી ફાયદાકારક અને કોક કોક કદાચ રાજી થતા હોય કે ગોઠવણો હશે અને ઘણા વહીવટ આ “વધારા” ઉપર ચાલતા હશે..વગેરે..વગેરે કશુ વિચાર્યા વગર એક જ ઝાટકે …NO VADHARO…ડીકલેર કર્યુ…..bravo chairman.