Mysamachar.in-જામનગર:
રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કૃષિ, પશુપાલન, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો તેમજ સાધનસામગ્રી સાથે સહાય વિતરણ કાર્યક્રમનું કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શહેરના ઓશવાળ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મીડિયાના સવાલોના જવાબો આપતા કહ્યું કે…
આજે રાજ્યના કેટલાય જિલ્લાઓમાં કમોસમી વરસાદ માવઠા થયા છે ત્યારે આ માવઠાની કેવી અને કેટલી અસર થશે તે ખેતીવાડી વિભાગ પાસેથી આ અંગેનો અહેવાલ મંગાવી અને આગળની કાર્યવાહી કરીશું તેમ જણાવી જામનગર સહીતના જિલ્લાઓમાં થયેલ જમીન માપણીમાં ગોટાળાઓ મુદ્દે પણ રાઘવજી પટેલે જણાવ્યું કે જામનગર જીલ્લામાં પણ ખેડૂતોને જમીન માપણી મુદે અનિયમિતતા અને જુદા જુદા પ્રશ્નો ઉભા થયા છે તે હકીકત છે આ મામલે મુખ્યમંત્રી સહિતનાઓને અમે જીલ્લા ભાજપ સંગઠન સાથે રજૂઆત કરી છે અને ખેડૂતોને આ પ્રશ્નમાંથી ઝડપથી મુક્તિ મળે તે માટે રાજ્ય સરકાર ઝડપથી વિચારણા કરે તેવો અમે આગ્રહ પણ રાખ્યો છે જેની સામે મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રી હકરાત્મક વલણ ધરાવે છે માટે આ પ્રશ્નનો જલ્દી કોઈ નિવેડો આવશે તેમ અંતે રાઘવજી પટેલે જણાવ્યું હતું.