Mysamachar.in-જામનગર
દર વર્ષની જેમ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન તા. 02-10-2021 થી તા. 08-10-2021 સુધી સમગ્ર રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું સરકારએ નક્કી કરેલ છે. તેનાં ભાગરૂપે જામનગર જીલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણી થાય અને આ ઉજવણી થકી લોકો વ્યસનમુક્તિ તરફ વળે તે માટે જામનગર કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ જામનગર નશાબંધી અને આબકારી વિભાગના ઇન્ચાર્જ અધિક્ષક સહદેવસિંહ વાળા તથા તેની ટીમ જહેમત ઉઠાવે છે. અને આ સપ્તાહ દરમિયાન વિવિધ લોકજાગૃતિના કાર્યક્રમો ગ્રામીણ વિસ્તારો સુધી કરી અને નશામાંથી કઈ રીતે બહાર આવી શકાય તે માટેના પ્રયાસો વિભાગ હાથ ધરે છે,
આ તકે ઇન્ચાર્જ અધિક્ષક સહદેવસીહ વાળાએ જણાવ્યુ કે નશાબંધી અને નશામુક્તિ માટે જહેમત ઉઠાવાની એટલે જરૂર છે કે નશો કે કોઇપણ વ્યસન વ્યક્તિના શરીરને ખુબજ નુકસાન કરે છે તેનાથી થઇ રહેલા નુકસાનને જો શરીરની અંદર જોઇ શકાય તો વ્યક્તિને ધ્રુજારી ચડી જાય એટલી ખરાબ હાલત ગળુ અન્ન નળી જઠર આંતરડા તેમજ મગજ હાર્ટ સહિતના વાઇટલ ઓર્ગન પર થાય છે તેની સામે ફળ ઔષધો વગેરે આરોગ્યપ્રદ ચીજ વસ્તુઓ ખાવાની ટેવ પાડવી જોઇએ અને નશાનો ત્યાગ કરવો જોઈએ.
તેમાં પણ દારૂનું વ્યસન એક સામાજીક દુષણ હોય સમાજમાં અનેક પ્રકારનાં દુષણોને જન્મ આપે છે. તંદુરસ્ત સમાજની નવરચના માટે નશાબંધી અનિવાર્ય છે. નશાબંધી સપ્તાહ દરમિયાન વ્યસનથી થતા નુકશાન સામે જાગૃતિ લાવવા સમાજીક આગેવાનો, સૈવાભાવી સંસ્થાઓ અનૅ શિક્ષિત વર્ગના સહિયારા પુરુષાર્થ દ્વારા વ્યસન મુક્તિના અભિયાનના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન નક્કી કરવામાં આવેલ છે.
**વ્યસન મુકત કઈ રીતે કહી શકાય ?
-કેટલીય આયુર્વેદ, એલૌપેથી અને હોમિયોપેથીની દવાઓ નશો કરવાની ઈચ્છા શાંત પાડે છે.
-દારૂને બદલે કુમારપાઠાનો અર્ક નશો કરવાન ઈચ્છા શાંત પાડે છે.
-અજમો અને વળીયારીનો અર્ક દારૂની લત છોડાવી શકે છે.
-અફીણના બદલામાં અગ્નિતુંડવટી, કર્પરસવટી, ભાંગ-ગાંજાના બદલામાં સારીચુર્ણ ફાયદો કરી શકે છે.
-તમાકુના સેવનની ઈચ્છા થતાં લીંબુ ચૂસવાથી ફાયદો થાય છે.
-લીમડાનાં પાન ચાવવાથી વ્યસન મુક્ત થઈ શકાય છે.
-મોસંબી, લસણ, ટામેટાં, સંતરાં, તીખુ કોળુ, નારંગી, કાકડી, સફરજનનો રસ વ્યસનમુક્ત થવામાં મદદ છે.
-આમલીનો ગર્ભ, વાટેલું જીરૂ અને સિંધાલુણ વ્યસનમુકત કરાવી શકે છે.
-મધના સેવનથી શરીરનું ઝેર બહાર નીકળી જતાં નશો કરવાની ઈચ્છા ઓછી થાય છે.