Mysamachar.in-જામનગર
આજના સમયમાં પૈસા કમાવવાનો ધંધો એટલે શૈક્ષણિક સંસ્થા તેવી સામાન્ય છાપ ઉભી થઈ ગઈ છે. ત્યારે જામનગરની નામાંકિત ને હંમેશા અભ્યાસમાં અગ્રેસર જે શાળાના વિદ્યાર્થીઓ રહે છે તેવી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સએ આ સામાન્ય લોકોની માનસિકતાથી દૂર વિદ્યાર્થીઓના ઉજજવળ ભવિષ્ય માટે આ કોરોના કાળમાં બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે એક ઉમદા અને આવકાર દાયક પગલું ભરેલ છે.જે શિક્ષણ જગતમાં વખાણવા લાયક છે,
જામનગર શહેરની અદ્યતન શૈક્ષણિક સુવિદ્યા સભર બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ વિશાળ સંકુલ તો ધરાવે જ છે સાથે સૌરાષ્ટ્રના નામાંકિત શિક્ષકોની ટીમ પણ ધરાવે છે જયાં વિદ્યાર્થીના ઉજજવળ ભવિષ્ય માટે ધો.11 અને 12 સાયન્સ તથા કોમર્સમાં વિદ્યાર્થીઓને ફી માફી તેમજ ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ પણ આપતી રહી છે ત્યારે શૈક્ષણિક સમાજમાં એક અલગ જ ઉદાહરણ પુરૂ પાડવાના ઉદ્દેશથી સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટ, ઉસ્મિતા મેડમ તથા મૌલિકભાઈએ વિચાર વિમર્શ કરી ટ્રસ્ટીગણો સાથે પરામર્શ કરી એક સરાહનિય અને સમાજ ઉપયોગી નિર્ણય લીધેલ છે.
બાળકો આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસથી વંચિત ન રહે તે માટે એક અનોખી પહેલ કરી રહયા છે. જેમાં બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા માનવીય અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જે વિદ્યાર્થીના માતા-પિતા અથવા ઘરમાં કમાનાર મુખ્ય વ્યકિતનું કોરોનાને કારણે અવસાન થયેલ છે. તેવા વિદ્યાર્થીઓને બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં અભ્યાસ માટે દતક લઈ ધો.12 સુધીનો અભ્યાસ કોઈપણ વિદ્યાર્થીને કોઈ પણ ફી લીધા વગર નિઃશુલ્ક કરાવવામાં આવશે. તેમજ સંસ્થાએ નકકી કરેલ ધોરણોમાં મર્યાદીત સમય માટે કોરોનાના કપરાકાળને ધ્યાનમાં લઈ ધંધા રોજગાર ઓછા થયા હોય અને લોકોની આવક ઘટી છે ત્યારે જુન -2021 થી શરૂ થતાં શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવનાર તેમજ સંસ્થાએ નકકી કરેલા ધોરણોમાં હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ રાબેતા મુજબની સામાન્ય સ્કૂલ ફી માં પણ 40% સુધીનો ઘટાડો કરી શિક્ષણ પુરૂ પાડવામાં આવશે. તેમ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ ની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર લોકડાઉન દરમ્યાન ઓનલાઈન શિક્ષણ તો આપવામાં આવી જ રહયું છે ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં વાલીઓએ સહકાર આપી બાળકોને પ્રોત્સાહિત કરી ઓનલાઈન અભ્યાસ કરાવવો જ જોઈએ. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ અદ્યતન કલાસરૂમ, કોમ્યુટર લેબ, A.C. કલાસરૂમ સાથે ઉચ્ચ અભ્યાસ માટેનું તજજ્ઞ શિક્ષકો દ્રારા શ્રેષ્ઠ શિક્ષણ આપી રહી છે ત્યારે આ પ્રકારનું શૈક્ષણિક અભિગમ જાળવી રાખતી જામનગરની પ્રથમ સંસ્થા છે કે જેને વિદ્યાર્થીના ઉજજવળ ભવિષ્ય તથા શૈક્ષણિક કારર્કિદી ને ધ્યાને લઈ ફીમાં ઘરખમ ઘટાડો કરવા સાથે વિદ્યાર્થીઓને દતક લઈ સ્કોલરશીપ આપવા માટે આગળ આવી રહી છે. કોરોનાના ભોગ બનેલ આ સંતાનોને ફ્રી શિક્ષણ આપવાનું પગલું ખૂબ જ આવકાર દાયક છે. આવા સંચાલકોને ખરા અર્થમાં ગુરૂ કહી શકાય. આજના કળયુગમાં આવા શિક્ષણગુરૂ મળવા અસંભવ છે.
પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓએ સંસ્થાના વિભાગીય વડાનો બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ 2 – રજપુતપરા, લીમડાલાઈન, જામનગર ખાતે રૂબરૂ કાર્યાલય સમય દરમ્યાન સંપર્ક કરવાનો રહેશે. પ્રવેશ મર્યાદિત હોઈ વહેલા તે પહેલાનાં ધોરણે પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ આપવાનો અબાધિત હકક સંસ્થાનો રહેશે. જેની નોંધ લેવા વિનંતી.