Mysamachar.in-જામનગર:
સસ્તા અનાજની દુકાનોમા બધુ જ ધોરણસર ચાલે તે જોવાની જવાબદારી જિલ્લા પુરવઠા કચેરીની છે, પરંતુ ખુબ જ અનિયમિતતા હોવાનુ ધ્યાને આવતા અને પુરવઠાતંત્રને આ બાબતે કઇ જ ગંભીરતા ન હોવાથી mysamachar.in દ્વારા ભોગ બનેલા રેશનકાર્ડ ધારકોના હિતમા ખાસ ઝુંબેશ શરૂ કરવામા આવી છે, જેના કારણે માહિતિ કાયદા હેઠળ અરજીઓ થવા લાગી છે જાગૃત નાગરીકો નિવેદનો આપવા લાગ્યા છે, લોકો ફરિયાદ કરવા આગળ આવી રહ્યા છે, ત્યારે એક આરટીઆઇ અંતર્ગત એવો જવાબ અરજદારને અપાયો છે કે રેશનીંગ વોર્ડોના ઇન્સ્પેક્શનનુ રેકર્ડ ડીએસઓ કચેરી પાસે નથી,!
આ જવાબ ઉપરથી શંકા એ જાય કે ઇન્સ્પેક્શન કર્યુ હોય તો રેકર્ડ હોય ને?? વળી ઇન્સ્પેક્શન ન કરવાના પણ કારણો છે જે અંગે ખુલ્લેઆમ આક્ષેપો થયા છે અને થઇ રહ્યા છે પરંતુ કોને ખબર શા માટે તંત્રને રેશનકાર્ડ ધારકોનુ હિત નથી જોવુ અને વહીવટ( વ્યાપક અર્થ લેવો) એવો કરવો છે કે દુકાનદારનુ હિત જળવાય,માટે તો લોકોને પુરતા માલ નથી મલતા સસ્તા અનાજનો માલ પગ કરી જાય છે ગ્રાહકો ધક્કા ખાય છે અને કોઇ સાંભળતુ પણ નથી છતાય પુરવઠા નિરીક્ષકો પ્રમાણીકતાથી ચેકીંગ કરવા જતા નથી માટે જ ઇન્સ્પેક્શનનો રેકર્ડ નથી હા બહુ ઇચ્છા થાય તો દુકાનદારને કચેરીએ રેકર્ડ સાથે બોલાવી લે છે.! આવી અધોગતિની સ્થિતિ છે,
-રેશન વોર્ડ નહી ક્યાય ઇન્સ્પેક્શન ગ્રાહક હિતમા થતા જ નથી
માત્ર સસ્તા અનાજની દુકાનોના ઇન્સ્પેક્શન નથી થતા એવુ નથી પેટ્રોલ પંપ( સરકારે ઘણી કાયદાકીય ગુંચવણો હળવી કરી તેમ છતાય ઘણી બાબત ચેક કરવી હોય તો કરી શકાય છે ગ્રાહકના હિતમા) બાયોડીઝલ કૌભાંડ ગેસ એજન્સી કેરોસીન વિતરણ વગેરેની પણ તપાસ નથી થતી પગલા નથી લેવાતા એના બદલે શું થાય છે તેની પણ સીલસીલાબંધ વિગતો ચબરાકો એકઠી કરી રહ્યા છે તેમાં તો પેલી કવિતા જેવુ નીકળે તેમ છે…..કે…..” બહુ અંગત અંગત નામ હતા”