Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશન ફાયર સેફટી મામલે આકરા પાણીએ થયુ છે અને વધુ પાંચ હોસ્પીટલના નળ જોડાણ કપાયા છે કેમકે એક હજારથી વધુ નોટીસ અપાયા બાદ કોર્પોરેશનની ફાયર શાખાને ખાસ કઇ કોઇ ગણકારતુ નથી આ નોટીસોમા દવાખાના હોસ્પીટલ ક્લાસીસ શાળા કોલેજ હોટલ રેસ્ટોરન્ટ વગેરેનો સમાવેશ થાય છે જોકે માત્ર ત્રણસો જેટલા આવા આસામીઓએ ફોર્મ મેળવ્યા છે તેમાથી ફાયર એનઓસી કુલ નોટીસના માત્ર વીસ ટકાએ જ લીધુ છે આમ નોટીસ બેઅસર રહેતા હવે આકરા પગલા તોળાઇ રહ્યાનુ જાણવા મળે છે.
કોર્પોરેશન વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર પીસી બોખાણીએ જણાવ્યુ છે કે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇટ સેફટી મેજરસ એક્ટ-2013ની જોગવાઈને અનુસંધાને જામનગર શહેર વિસ્તારમાં આવેલ તમામ હોસ્પિટલો નસિંગ હોમમાં ફાયર સિસ્ટમ લગાવવી ફરજીયાત છે અને આવી સીસ્ટમ લગાવ્યા બાદ ફાયર શાખાનું એન.ઓ.સી. મેળવવું ફરજીયાત છે ફાયર ઓફિસરના ગત તા.12/11/2020ન પત્ર અન્વયે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેજરસ એક્ટ-2013 ની કલમ 26, ની પેટા કલમ-(2), (કે), (ખ) અનેકની જોગવાઇઓ મુજબ જામનગર શહેરમાં કાર્યરત હોસ્પિટલો-નસિંગ હોમમાં ફાયર શાખાનું એન.ઓ.સી. મેળવેલ ન હોય તો તમામ હોસ્પિટલો નસિંગ હોમના પાણીના નળ કનેકશનનો બંધ કરવા નિર્ણય કરાયો છે.
-ત્રણ દિવસની મહેતલ હતી માટે પાંચ સ્થળે પગલા…..હજુય ત્રણ દિવસની તક
કોર્પોરેશન સતાવાળાઓના જણાવ્યા મુજબ તમામ હોસ્પિટલો – નસિંગ હોમને ગત તા 23 નવેમ્બરના દિવસ-03માં ફાયર શાખામાં રૂબરૂ મુલાકાત લઈને ફાયર સીસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરી કરાવીને ફાયર શાખાનું એન.ઓ.સી. મેળવી લેવા નોટીશો ઈશ્યુ કરવામાં આવી હતી. વોટર વર્કસ શાખા દ્વારા આપવામાં આવેલ નોટીશની સમય મર્યાદામાં ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેજરસ એક્ટ-2013ની જોગવાઈને આધીન ફાયર સીસ્ટમ ન લગાવતા વોટર વર્કસ શાખા દ્વારા હોસ્પિટલો – નર્સિંગ હોમ જેમાં (1) શાહ મેડીક્લ ફાઉન્ડેશન (2) જય હોસ્પિટલ (3) સોલંકી ઓર્થોપેડિક હોસ્પિટલ તેમજ (4) મમતા મેટરનીટી સેન્ટરના પાણી કનેક્શનનો બંધ કરવામાં આવેલ છે વધુમાં વોટર વર્કસ શાખા દ્વારા આપવામાં આવેલ તમામ હોસ્પિટલો / નસિંગ હોમ ધારકોને આખરી જાણ કરવામાં આવી છે કે હજુય દિવસ-03માં ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેજરસ એક્ટ-2013 મુજબ ફાયર શાખાનું એન.ઓ.સી. મેળવી લેવું નહી તો આવી તમામ હોસ્પિટલો નસિંગ હોમને અપાતો પાણી પુરવઠો બંધ કરવામાં આવશે.