Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગે એક કરોડ વીસ લાખની ગ્રાંટ પરત ફાળવી છે કેમકે પ્રવાસી શિક્ષકો લીધા નહી તેમજ સ્માર્ટ ક્લાસ પણ બનાવ્યા નહી અને આ મુદે કદાચ આગળ જતા વિવાદ સર્જાય તો કહેવાય નહી તેમ જાણકારોનો મત છે, કેમકે ક્યા વિકાસ માટે ગ્રાન્ટ તબદીલ થઇ કે પરત થઇ??જિલ્લા પંચાયત હસ્તકની જિલ્લાની પ્રાથમીક શાળાઓમાં જે તે વિષયના શિક્ષકોની જગ્યા ખાલી હોય ત્યા રેગ્યુલર ભરતી ન થાય ત્યા સુધી અવજા અવજી એટલે કે પ્રવાસી શિક્ષકો સાવ હંગામી ધોરણે અમુક પિરિયડ લેવા રખાય છે અને તેમને ક્લાસ લે તે મુજબ માનદ વેતન ચુકવાય છે પરંતુ આ વખતે કોરોનાના કારણે શાળાઓ જ બંધ છે શૈક્ષણીક કાર્ય ચાલતુ નથી માટે પ્રવાસી શિક્ષક લેવા પડ્યા નથી માટે રૂપિયા પચાસ લાખની ગ્રાંટ પરત કરાઇ છે.
જોકે આ ગ્રાન્ટ વર્ષ 20-21 ના વર્ષની હોય તો હજુ શાળા ખુલે તેવી શક્યતા હોય તો સમગ્ર વર્ષ પુરૂ થવાની રાહ જોવાની જરૂર હતી પરંતુ હાલના જિલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારી દવે ફરજમા આવ્યા તે પહેલા જ ગ્રાન્ટ પરત કરી દેવાઇ છે તેમ જાણવા મળ્યુ છે તેમણે જણાવ્યુ હતુ કે અન્ય વિકાસ કામ માટે આ ગ્રાન્ટ પરત કરાઇ છે આ મુદે આગળ જતા વિવાદ થાય તો નવાઇ નહી કેમકે પ્રવાસી શિક્ષકોના વેતનના પ્રશ્ર્નો ઉભા થવાની બાબત જગજાહેર છે અને આ વર્ષની જ ગ્રાન્ટ હોય ગતવર્ષની તો ચુકવાઇ ગઇ ન હોય??
તેવીજ રીતે સ્માર્ટ ક્લાસ માટેની 70 લાખની ગ્રાન્ટ પણ પરત કરાઇ છે તે સમજી શકાય કે હાલ શાળાઓ બંધ હોઇ સ્માર્ટ ક્લાસ બનાવાની જરૂર ન રહે તેમજ ઘણી વખત સ્માર્ટ ક્લાસ માટે દાતા પણ મળી રહે છે તેમ છતા વર્ષ પુરૂ થાય ત્યા સુધી કદાચ શાળા ખુલવાની રાહ જોવાની જરૂર હતી તેવો વિભાગના જ અમુક જાણકારો નો મત છે ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાએ સ્માર્ટ ક્લાસના નામે અગાઉ જંગી ખરીદી અને ખર્ચ એ અનેક વમળો સર્જ્યા હતા તેમજ સ્માર્ટ ક્લાસના જે સ્માર્ટ બોર્ડ આવેલા તેની ગુણવતા સરકારે કરેલા ચુકવણાના સાપેક્ષમા ઓછી હતી અને રાજ્યવ્યાપી ખરીદી હતી જેમા હાલારમા ઘણા આવા બોર્ડ બંધ પણ પડ્યાની ચર્ચા છે
ગમે તેમ તો ય હાલ તો બંને ગ્રાન્ટ મળી કુલ એક કરોડ વીસ લાખ બીજા કોઇ વિકાસ કામ માટે ખર્ચ કરી શકાશે અને તંત્ર પણ વિચારતુ હશે જે થશે તે જોયુ જશે પરંતુ ગ્રાન્ટ પરત કરવાની ઉતાવળથી વિવાદ થવાની સંભાવના છે કેમકે ક્યા વિકાસ કામ માટે અને કોના માર્ગદર્શન હેઠળ આ ઉતાવળ થઇ છે તે સમજાતુ નથી પરંતુ જાણકારોનો ઇશારો કોઇ નીવડેલા તરફ છે જે ઉઠતી બજારે ગ્રાન્ટ ફેરવવા ફાફા મારે છે.