Mysamachar.in-જામનગર
જામનગરના ચતુર્ભુજ દરેક આપત્તિના સમયમાં જામનગરને મદદ માટે હંમેશા અડિખમ ઉભા રહેતા તેવા ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેઇન એન્ડ સીડસ મર્ચન્ટ એસોસિએશન અને ડ્રગીસ્ટ એન્ડ કેમીસ્ટ એસોસીએશન તથા સહયોગીઓ દ્વારા પ્રધાનમંત્રી રાહત નિધિમાં ૨૧ લાખ, મુખ્યમંત્રી રાહત નિધિમાં ૨૧ લાખ અને જામનગર જિલ્લા પ્રસાશનને કોરોનાની બિમારી સામે લડવા આવશ્યક વસ્તુઓ માટે ૯ લાખ અર્પણ કરાયા હતા. આ માટે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા,ગ્રેઇન એન્ડ સીડસ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જીતુભાઇ લાલ, ડ્રગીસ્ટ એન્ડ કેમીસ્ટ એસોસીએશનના પ્રમુખ રાજુભાઇ પટેલ તથા અન્ય અગ્રણીઓ દ્વારા કૃષિમંત્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. રાજ્યના મંત્રીઓએ કરેલ આહવાન ઝડપી લઇ અને ગુજરાતના આ કપરા સમયમાં સહયોગી બનવા પ્રધાનમંત્રી રાહત નિધિ અને મુખ્યમંત્રી રાહત નિધિમાં અનુદાન કરે ત્યારે જામનગરના અગ્રણીઓએ કોરોના મહામારીને મ્હાત કરવા બંને મંત્રીઓના આહવાનને વધાવી ૫૧ લાખનું અનુદાન આપ્યું છે. મહાનુભાવોએ અર્પિત કરેલ અનુદાનના ચેક કલેકટર રવિશંકરને રાહત નિધિમાં દાન કરવા અર્પણ કર્યા હતા.