Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં દરિયાકાંઠે દરિયાનું પાણી મીંઠું બનાવવા માટેનો રૂ.800 કરોડનો ડિસેનીલેશન પ્લાન્ટ શરૂ કરવાની સરકારની યોજના હતી. આ અંગે ગુજરાત સરકાર દ્વારા તા.4-3-2019ને રોજ જામનગર ખાતે પ્રધાનમંત્રીના વરદહસ્તે શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણઉપસ્થિત હતા, શુભારંભ સમારોહમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરિયાના ખારા પાણીમાથી રોજના 10 કરોડ લીટર પીવાનું શુધ્ધ પાણી મેળવવાની યોજના તૈયાર કરવાનું સ્વપ્નું બતાવવામાં આવ્યું હતું..
ટૂંકમાં, ઉક્ત પ્લાન્ટમાથી કાઠિયાવાડ વિસ્તારનેપૂરતું પાણી મળી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવેલ હતી. સરકારએ જોડિયા વોટરડિસેનીલેશન લી. (C/o M/s Essel Infra. Project Limited) સાથેતા. 17-11-2018 ના રોજ કરાર કરેલ હોય અને આ કામનું કન્સ્ટ્રક્શન કામ કરારખતસાઇન થયાના 30 મહિનાના સમયગાળામાં પૂરું કરવાનું આયોજન કરવામાં આવેલ છે, આ ડિસેનીલેશન પ્લાન્ટમાં શુભારંભ સમારોહ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી વરદહસ્તે કર્યા પછી આ ડિસેનીલેશન પ્લાન્ટનું બાળમરણ થયું એ ખૂબ દુ:ખદાયક હોવાનો ધારાસભ્યએ તેમની યાદીમા જણાવ્યું છે,
આ પ્લાન્ટ મતવિસ્તાર 76-કાલાવડ વિધાનસભામાં આવતો હોય, મોટી યોજના પર મતવિસ્તારના લોકોની નજર અપેક્ષા હોય, આ પ્લાન્ટથી લોકોને રોજગારી ઉપરાંત પીવાનું પાણી મળવા તમામ પ્રકારની તજવીજ થયા પછી આ પ્લાન્ટનું બાળમરણ એ પ્રધાનમંત્રીના અપમાનસમાન ગણાય…ગત વિધાનસભા સત્રમાં સદસ્યગણની હાજરીમાં જોડિયા ડિસેનીલેશન પ્લાન્ટશરૂ કરવાની જાહેરાત કરેલ હતી. આવી મોટી જાહેરાત અને વિધાનસભામાં ચર્ચા થયા બાદ અચાનક આ યોજનાને અભેરાઈએ ચડાવી દેવી કેટલા અંશે વ્યાજબી ગણાય? તેવો સવાલ પણ ધારાસભ્ય પ્રવિણ મુસડીયાએ ઉઠાવ્યો છે અને મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખી પાયાની જરૂરિયાત સમાન આ ડિસેનીલેશન પ્લાન્ટનું બાળમરણ ન કરતાં તેને પુન:જીવીત કરવામાં આવે તેવી લાગણી અને માંગણી કાલાવડ ધારાસભ્ય પ્રવિણ મુસડીયા દ્વારા વ્યક્ત કરી છે.