Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર જિલ્લામા તેમજ દ્વારકા જિલ્લામા દરિયાકિનારો ઘણો છે જ્યા ઘણુ ડેવલપ થાય તેમ છે પરંતુ મોટાભાગે યોજનાઓ આવે બાદમા કામ ઠપ્પ થઇ જાય છે, અને ખોટા નાણા પણ વેડફાય છે તેમ સમીક્ષકો જણાવે છે, આવા અનેક ઉદાહરણોમાં થી એક છે જોડીયાનો ડીસેલીનેશન પ્લાન્ટની સ્થિતિ થઇ છે જે ખાતમહુર્ત બાદ હજુ કામ આગળ ધપ્યુ નથી અને રદ થયુ છે,
અગાઉ બે મુખ્યમંત્રીઓ બાદ વર્ષ 2019 માં વડાપ્રધાન મોદીના હસ્તે જામનગર ખાતેથી ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. ભૂમિપૂજન બાદ વિદેશી કંપનીએ નામ માત્ર દિવસો અહી કામ કર્યું અને પછી કામ પડતું મુક્યું, જેને લઈને સરકારના બહુ આયામી આ પ્રોજેક્ટને વર્ષ 2021-22માં લોકાર્પણ કરી દેવાનું નક્કી કરાયું હતું તે પ્રોજેક્ટ જ અદ્ધરતાલ થઇ ગયો છે. દરરોજ દરિયાના 10 કરોડ લીટર પાણીને શુદ્ધ કરી હીરાપર પર પહોચતું કરી, અહીથી રાજકોટ અને જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો પરંતુ તે કાર્ય ઠપ્પ થઇ ગયુ છે.
ત્યારે દ્વારકા જિલ્લામા પણ ડીસેલીનેશન પ્લાન્ટ કરવાની વાત થઇ ગઇ ખાતમહુર્ત જેવુ પણ થઇ ગયુ સી.એમ.એ આ ખાતમહુર્ત કરતી વખતે વાતો પણ કરી હવે તે પ્લાન્ટનુ શુ થાય છે? તે જોઇએ સરકારી યાદી મુજબ જોઇએ તો મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, દુનિયાના વિકાસશીલ દેશોમાં ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યરત છે.ગુજરાત દેશમાં પ્રથમ બનશે જ્યા આગામી સમયમાં ડિસેલીનેશન પ્લાન્ટ શરૂ કરાશે. આ પ્લાન્ટ થકી દરરોજના 37 કરોડ લીટર ખારા પાણીને મીઠાપાણીમાં રૂપાંતર કરાશે (37 કરોડ લીટરમાં દ્વારકા જિલ્લાનો અંદાજે 7 કરોડ લીટરના પ્લાન્ટનો સમાવેશ છે)
આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઇ બાવળીયાએ કહયું કે, રાજયનો છેવાડાનો માનવી સ્વચ્છ શુધ્ધ પાણી મેળવી શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જુની જૂથ યોજના સુધારીને નવી જુથ યોજના દ્વારા અને સીવેજ વોટરને શુધ્ધ કરી તેનો પણ ઉપયોગ કરી શકાય તે માટે આ નિર્ણાયક સરકાર કામ કરી રહી છે. વળી આગામી સમયમાં ડિસેલીનેશન પ્લાન્ટ દ્વારા પણ દેવભૂમિ દ્વારકાજિલ્લાને મીઠુ પાણી પુરતી માત્રામાં મળશે તેમ જણાવ્યુ હતુ હવે જોવાનુ એ છે કે જોડીયાના પ્લાન્ટનુ કામ ઠપ્પ થયુ તેમ દ્વારકા જિલ્લામા ડીસેલીનેશન પ્લાન્ટનુ શુ થશે.? જોડીયા જેવુ નહી થાય ને? તેમ જાણકારો ચર્ચા સાથે સવાલ ઉઠાવે છે.