Mysamachar.in-જામનગર, દેવભૂમિ દ્વારકા
અમુક સમયે ઓંચિતિ આઇ.ટી.તપાસોની સીઝન વ્યાપક રહેતી હોય છે પરંતુ એકંદર જ્વેલરી સેક્ટર તેમાંથી મોટાભાગે આબાદ બચે છે જેમા એવુ પણ ચર્ચાય છે કે ચોક્કસ અધીકારીઓનુ તેમા હિત હોય છે વિભાગનુ ભલે હિત ન જળવાય પરંતુ આ બજારને કંઇક અનેક કારણોસર ખાસ કૃપા મળતી રહે છે, આઇ.ટી.ના દરોડા જુદા જુદા સેક્ટરમા પડે છે તેટલા પ્રમાણમાં જ્વેલર્સને ત્યા નથી હોતા ખરેખર અમુક જાણકારોના મતે એક નંબર કરતા બે નંબરના વ્યવહારો અમુક જ્વેલર્સને ત્યા થાય છે,.માટે સઘન સર્વેની જરૂર છે જે બાતમીદારો વિગત આપે તે ઇન્કમટેક્સ વિભાગને જરૂર પડ્યે બાતમી આપી જ શકે છે પરંતુ કોને ખબર ચોક્કસ જ્વેલર્સ આબાદ બચે છે તે ખાસ કૃપા છે કે કોઇ વડા ની બવાગીદારી છે કે બીજી કોઇ નિયમિત તરકીબ અજમાવે છે? તેવા સવાલોના જવાબો જાણકારો શોધી રહ્યા છે.
એવુ કહેવાય છે કે ભારતમાં દાણચોરીનુ સોનુ ઘુસે છે અને આવું ઘુસેલુ દણચોરીનુ સોનુ અમરેલી સુરેન્દ્રનગર જામનગર જિલ્લામાંથી ઝડપાયુ હતુ પરંતુ તેથી વધુ જથ્થો ગાયબ થયાની પણ આશંકા છે તો દેખીતુ છે કે સોની બજાર સિવાય તો બીજે ક્યાય સોનુ ખરીદ વેચાણ થાય નહી તો શુ ગાયબ થયેલુ સોનુ ચોક્કસ અને નિયત જુજ જ્વેલરો પાસે તો પહોંચી ગયુ હશે? અથવા વખતોવખત આવુ થતુ રહેતુ હશે? તેવા શંકા પ્રેરક સવાલો વચ્ચે કસ્ટમ્સની જ્વેલરોને ત્યા વ્યાપક તપાસ થયાનુ જાહેર થયુ ન હોઇ આ સમગ્ર બાબતોએ જાણકારો અમુક ઠોસ વિગતો સાથે તરેહ તરેહ ની ચર્ચાઓ કરે છે તેમજ ચોક્કસ જ્વેલરો આઇ.ટી. અને કસ્ટમથીબાકાત રહ્યાનુ શંકા સાથે ચર્ચાતુ જ રહે છે.