Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
હાલ લોકડાઉનમા થોડી છુટછાટો મળી ત્યારે તેમજ અત્યાર સુધી ખાનગીમા જે મળે તે ખરીદી જ લો તેની સામે જે મળે તે ધાબડી દ્યો નો માહોલ સમગ્ર હાલારમા નગરો અને ગામડામા છવાયેલો રહ્યાનુ જાણકારોમા ચર્ચાય છે, અને હજુ પણ આ જ (અ)નિતિ ચાલી રહ્યાની ચર્ચા છે, ગત માર્ચ મહિનો વિત્યા બાદ ધીમે-ધીમે લોકોને બહાર નીકળવાની ભીંસ વધી તો બીજી તરફ ચીજ વસ્તુઓ જે મોકળાશથી મળતી તેમા કંટ્રોલ આવતા લોકોને જરૂરિયાત પુરી ન થતી હોય ચીજવસ્તુઓ માટે જ્યાથી અને જેવી રીતે મળે તે વસ્તુ લેવા લાગ્યા છે,તો બીજી તરફ લોકોની આ મજબુરી જોઇ ચીજવસ્તુઓ આપનારા ગમે તે ધાબડી દેવુ અને ગમે તે ભાવમા ધાબડી દેવાની અ- નિતિ અવિરત રાખી છે.
લોકોને સતત ડર છે કે ગમે ત્યારે લોકડાઉનની કડકાઇ વધશે તો જરૂરી ચીજવસ્તુઓ કરિયાણા-ખાવાપીવાની વસ્તુ-વ્યસનની વસ્તુ-ફરસાણ મીઠાઇ-અનાજ કઠોળ મસાલા વગેરે અનેક પ્રકારની ચીજ વસ્તુઓ નહી મળે તો? તેમ માની સગવડતા હોય તો ભેગુ કરવા લાગ્યા છે બીજી તરફ નાના મોટા વેપારીઓ પણ હાલ માલની આવક અને ઉત્પાદનની સ્થિતિ ડામાડોળ હોઇ જે મળે જ્યાથી મળે તે ખરીદવામા પડ્યા છે એ જ ચીજવસ્તુ ગ્રાહકોને ધાબડે છે આમ દરેક તરફ ધાબડો કે લાવ લાવ કે મજબુરીનો લાભ લેવાનો ભરપુર માહોલ છવાયો છે.