Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં જાણે કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લેતું અને આ સંક્રમણ કેમ પણ કરીને અટકે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે, ત્યારે આજે સૌથી ચિંતાજનક બાબત જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સામે આવી છે, મ્યુ.કમિશ્નર સતીશ પટેલની સુચનાથી મનપાના એમ.ઓ.એચ ઋજુતા જોશી, ડો.ગોરી સહિતની ટીમ દ્વારા આજે હાપા માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી અને ફ્રુટનું વેચાણ કરતા 800 જેટલા લોકોને કોરોના રેપીડ કીટ દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવતા 16 વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ પોજીટીવ નીકળતા હાહાકાર મચી જવા પામ્યો છે.એકીસાથે 16 કેસ કોરોના પોજીટીવ મળી આવતા મનપા દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.