Mysamachar.in:જામનગર
મુંબઈનાં એક આધેડ શિક્ષક જામનગરની એક હોટલમાં મોતને ભેટયા. આ શિક્ષક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાડીનારની એક ખાનગી કંપનીમાં વારંવાર વિઝિટે આવતાં, એવું બિનસત્તાવાર રીતે જાહેર થયું. પરંતુ સતાવાર રીતે એ જાહેર થયું નથી કે, તેઓ વાડીનારની મુલાકાત વારંવાર શા માટે લેતાં હતાં ?! આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે પરંતુ ઇન્વેસ્ટીગેશન આ મુદ્દે મૌન છે.
16 ફેબ્રુઆરીએ બપોર બાદ એવું જાહેર થયું કે, જામનગરમાં પંચવટી વિસ્તારમાં આવેલી રવિ રેસિડેન્સી નામની હોટેલનાં રૂમ નંબર 303માં એક વ્યક્તિ બેશુદ્ધ જેવી સ્થિતિમાં મળી આવી. બાદમાં 108 ની ટીમ ત્યાં પહોંચી અને જાહેર કર્યું કે, આ વ્યક્તિ મૃત છે. એવું પોલીસે જાહેર કર્યું. આ વ્યક્તિ આ રૂમમાં બે દિવસથી હતી. દરવાજો અંદરથી બંધ હતો, એમ હોટેલ મેનેજર કહે છે. પોલીસ કહે છે, મિસ્ત્રીની મદદથી દરવાજો ખોલી અમે અંદર પહોંચ્યા હતાં.
આ બનાવની ફરિયાદ નોંધાય અને મોતનું ઇન્વેસ્ટીગેશન થાય એ પહેલાં જાહેર થયું કે, મૃતક મુંબઈનાં શિક્ષક હતાં અને વાડીનારની એક ખાનગી કંપનીમાં વારંવાર વિઝિટે આવતાં હતાં ! પરંતુ કઈ ખાનગી કંપનીમાં આવતાં હતાં અને શા માટે આવતાં હતાં ?! એ મુદ્દો ઇન્વેસ્ટીગેશન પછી પણ જાહેર થયો નથી ! ઇન્વેસ્ટીગેશન ઓફિસર મહિલા PSI એસવી સામાણીએ માય સમાચાર ડોટ ઈન ને જણાવ્યું હતું કે, મૃતક ‘અંગત’ કારણસર વાડીનાર આવતાં હતાં. જો કે, પોલીસ નોંધ મુજબ આ બનાવ હાર્ટએટેકથી મોતનો છે. અને, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ નોર્મલ છે.
મૃતક 53 વર્ષનાં હતાં અને તેઓનું નામ જયદીપ સુભાષ ધારધાર હતું. તેઓ મુંબઈ નાં અંધેરી પરામાં લોખંડવાલા કોમ્પલેક્ષ માં રહેતાં હતાં. તેઓનાં રૂમમાંથી ફેકટરી હેલ્મેટ પણ મળી આવી છે ! મતલબ, આ શિક્ષક કોઈ કંપનીની મુલાકાતે જ આવ્યા હતાં એવું શક્ય છે. તેઓની આ મુલાકાત પાછળનો હેતુ શું હોય શકે ?! અને તેઓ આ પ્રકારની મુલાકાતે વારંવાર શા માટે આવતાં હતાં ?! વગેરે પ્રશ્નો ઉત્સુકતા પેદાં કરે એવાં છે પરંતુ ઇન્વેસ્ટીગેશન કહે છે.
આ મુલાકાત પાછળનો ઉદ્દેશ અંગત હતો ! મુંબઈ નાં એક શિક્ષક વાડીનાર માં ખાનગી કંપનીની મુલાકાતે વારંવાર આવે – એ આખો મામલો જ જાણકારો માં જિજ્ઞાસા પેદાં કરી રહ્યો છે ! આ ખાનગી કંપનીનું નામ પણ ક્યાંય જાહેર થયું નથી. ઇન્વેસ્ટીગેશન ઓફિસર આ પ્રકરણમાં વધુ કાંઈ કહેવા ઉત્સુક નથી, એવું તેઓ સાથેની વાતચીતમાં જણાઈ રહ્યું હતું. વાડીનારની મુલાકાતે આવનાર વ્યક્તિ છેક જામનગર હોટેલમાં ઉતરે, એ પણ તપાસનો વિષય લેખાવી શકાય ! એવું પણ ઘટનાક્રમ પરથી સમજાઈ રહ્યું છે. જો કે, આ પ્રકરણ પોલીસ લેવલે પૂર્ણ થયું છે. પોલીસે મૃતકનાં કૌટુંબિક બનેવીને મૃતદેહ સોંપી દીધો છે. આ મૃતકનાં સરસામાનમાં શું શું મળી આવ્યું ? તેની વિગતો જાહેર કરવી જરૂરી નહી હોય, તેથી આ વિગતો જાહેર કરવામાં આવી નથી. એવું સમજાઈ રહ્યું છે.