• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, July 13, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

રેંકડીઓ, પથારાઓ અને ગુજરીબજારોની ‘કમાણી’ કોણ ખાઈ જાય છે ?!

આ આખા વિષયને કાયદેસર અને વ્યવસ્થિત બનાવી મહાનગરપાલિકા કાયમી આવક મેળવી શકે...

My Samachar by My Samachar
June 26, 2024
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
જામનગર:શહેરના સાધના કોલોનીના ફ્લેટનો ધંધાદારી ઉપયોગ….!!
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

રાજ્યના અન્ય શહેરોની માફક જામનગરમાં પણ રેંકડી, પથારા અને ગુજરીબજારો- નગરજનોની જરૂરિયાત છે, નાના ધંધાર્થીઓને રોજગાર મળે છે. તેની સાથે કેટલાંક દૂષણો પણ જોવા મળે છે. વર્તમાન હાલતમાં સૌથી મોટું દૂષણ એ છે કે, આ સમગ્ર વ્યવસાયની ‘કમાણી’ તંત્ર તથા વચેટિયાઓ ખાઈ જાય છે અને બીજી તરફ વર્ષોથી મહાનગરપાલિકા આ વ્યવસાયમાંથી કાયમી આવક ગુમાવી રહી છે. આ વ્યવસાય વ્યવસ્થિત કરવાની મહાનગરપાલિકા પાસે તક છે પરંતુ મહાનગરપાલિકા આમ કરતી નથી, તેથી કાયમી બબાલો ઉભી થતી રહે છે.

શહેરમાં શાકભાજી સહિતની ઘર વપરાશી ચીજોની રેંકડી, પથારા અને સપ્તાહના ચોક્કસ દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાતી ગુજરીબજારો નગરજનોની જરૂરિયાત છે, જેને કારણે નગરજનોને ઘર નજીક આ બધી ચીજો વાજબી ભાવે મળી રહે છે. આ ઉપરાંત આ વ્યવસાયમાં હજારો નાના ધંધાર્થીઓને રોજગારી એટલે કે આજિવિકા પ્રાપ્ત થઈ શકે છે. આ કારણોથી આ સમગ્ર વ્યવસાય મહાનગરપાલિકાએ ચાલવા દેવો પડે. આ વ્યવસાયને બંધ કરાવવો શહેરના વિશાળ હિતમાં નથી. હા, આ વ્યવસાયને કાયદેસર અને વ્યવસ્થિત જરૂર બનાવી શકાય. તેમાંથી મહાનગરપાલિકાએ કાયમી આવક મેળવવી જોઈએ. અવારનવાર બંધ કરાવવા જેવી બબાલો ઉભી ન કરવી જોઈએ. અને, અન્ય એક મહત્ત્વપૂર્ણ મુદ્દો એ પણ છે કે, વરસોથી આ વ્યવસાય કાયદેસર અને વ્યવસ્થિત કરવામાં મહાનગરપાલિકાએ ઉદાસીનતા દેખાડી છે, જેને કારણે એસ્ટેટ વિભાગ તથા પોલીસ હોમગાર્ડ જેવા તંત્રો અને વચેટિયાઓ વચ્ચેથી મલાઈ તારવી રહ્યા છે.

જામનગર મહાનગરપાલિકા કાયમ નાણાંભીડ અનુભવે છે, ઘણી વખત તો મહાનગરપાલિકા પોતાના કર્મચારીઓને પગાર આપવામાં પણ તકલીફો અનુભવે છે, હાંફી જાય છે. આમ છતાં મહાનગરપાલિકા આવકના કાયમી સ્ત્રોત ઉભા કરવામાં નિષ્ક્રિય રહે છે. શહેરમાં ધંધો કરતાં રેંકડીઓ, પથારાઓ અને ગુજરીબજારો સહિતની શાક માર્કેટ વગેરે સ્થળોએ ધંધાર્થીઓ પાસેથી ભોંભાડા વસૂલવા મહાનગરપાલિકા વરસોથી દર વર્ષે ઠરાવો કરે છે, બજેટમાં જાહેરાત કરે છે પરંતુ આ બાબતનો અમલ કરવામાં આવતો નથી. આ અમલને કોઈ રોકે છે ?! શા માટે મહાનગરપાલિકાએ આ બાબતે નિષ્ક્રિય રહેવું જોઈએ ?

કેન્દ્ર સરકાર ખુદ નાના ધંધાર્થીઓ, ફેરિયાઓ વગેરેને લોન્સ આપી આત્મનિર્ભર બનાવવા પ્રયાસો કરે છે, આ બધી કામગીરીઓ ખુદ મહાનગરપાલિકા કરે છે, તો પછી સમગ્ર શહેરમાં, ચોક્કસ નીતિ અને શરતોને આધીન રહી, રેંકડીઓ, પથારાઓ અને ગુજરીબજારના સમગ્ર વ્યવસાયને વ્યવસ્થિત અને કાયદેસર બનાવવામાં મહાનગરપાલિકાને તકલીફ શું છે ? મહાનગરપાલિકાએ આ વ્યવસાયમાંથી ટેન્ડર, ઈજારદાર,ભોંભાડાની વસુલાત વગેરે બાબતોનો યોગ્ય નિર્ણય કરી, કાયમી આવક ઉભી કરવા અંગે વિચારવું જોઈએ. નગરજનોની સગવડતા સાચવી શકાય, ધંધાર્થીઓ પણ રોજગાર મેળવી શકે અને હપ્તારાજ પણ બંધ થઈ શકે. અને, થોડા થોડા દિવસે શહેરમાં બબાલો ઉભી થાય છે તે પણ ન થાય. ફીક્સ જગ્યાઓ, ફીક્સ સમય, ફીક્સ વાર અને ફીક્સ ભોંભાડું વગેરે બાબતો યોગ્ય રીતે નક્કી કરી, તેનો સુચારૂ અમલ કરાવી મહાનગરપાલિકા ધારે તો આ વ્યવસાયને વ્યવસ્થિત અને કાયદેસર બનાવી શકે, જે સૌના હિતમાં રહેશે.

-મનપાના આધારભૂત સુત્રો માહિતી આપતા કહે છે કે..

વર્ષ 2004/05થી ઠરાવ થતો આવે છે કે જામનગરમાં વિવિધ રેંકડીઓ, પથારાવાળાઓ, પાસેથી ભો ભાડું વસુલ કરવાનો ઈજારો બહાર પાડવા ઠરાવ થાય છે, જે બજેટમાં પણ જોવા મળે છે, કે પ્રતિ ચોરસ મીટર વધુમાં વધુ 5 કલાક માટે 15 રૂપિયાની વસુલાત કરવામાં આવે…જાણકારોના એક અંદાજ મુજબ જામનગરમાં સ્થાયી 8000 જેટલા રેકડીઓ અને પથારા દૈનીક છે જેમાં અલગ અલગ વારોના અલગ અલગ વિસ્તારોમાં ભરાતી ગુજરી બજાર અલગ છે.

જાણકારોના મુખેથી સાંભળવા મળતી ચર્ચાઓ મુજબ જો આ ઈજારો અપાઈ જાય તો લગત જે કોઈની ખાયકીઓ બાંધેલી છે તેને અવરોધ પહોચે અને તેની ખાયકીઓ બંધ થઇ જાય..જે માસિક લાખોમાં થાય છે, તેથી યેનેકેન પ્રકારે એસ્ટેટ શાખા સહીત જે કોઈનું આ રેકડી અને પથારામાં હિત સચવાયેલું છે તે લગતો આ ઈજારો થાય તેમાં રાજી નથી, પરિણામે મનપાને વાર્ષિક કરોડોનું નુકશાન જયારે લાગતા-વળગતાને વાર્ષિક કરોડોનો ફાયદો છે, તે સીધી વાત છે.જો કે આ તો જાણકારોની ચર્ચાઓ અને લગત પાસેથી મળતી વિગતો મુજબ મોટી ખાયકી થાય છે તેવો આક્ષેપ છે માટે તેની તપાસ થવી ઘટે બાદમાં સત્ય શું છે તે સામે આવે…કારણ કે ભૂતકાળમાં એક વિપક્ષ સભ્ય તો શહેરના અન્ય એક વકીલે એક રેકડી અને પથારાના કેટલા લેવાય છે તેની માહિતી ઉજાગર કરી હતી.

SendShareTweetShare

Join Us on Social

Recent News

દ્વારકા : બોગસ બોટ રજિસ્ટ્રેશન-લાયસન્સ કાંડનો સૂત્રધાર નિવૃત સરકારી અધિકારી !

દ્વારકા : બોગસ બોટ રજિસ્ટ્રેશન-લાયસન્સ કાંડનો સૂત્રધાર નિવૃત સરકારી અધિકારી !

July 12, 2025
લાલ પરિવા૨ના ટ્રસ્ટો દ્વારા તેજસ્વી તા૨લાઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો

લાલ પરિવા૨ના ટ્રસ્ટો દ્વારા તેજસ્વી તા૨લાઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો

July 12, 2025
અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

અમદાવાદ વિમાન દુર્ઘટના : 2 પાયલોટ વચ્ચેની વાતચીત બહાર આવતાં ખળભળાટ..

July 12, 2025
 ધ્રોલના રોજિયાની વાડીમાં ધમધમતી જૂગાર ક્લબ ઝડપાઈ ગઈ…

 ધ્રોલના રોજિયાની વાડીમાં ધમધમતી જૂગાર ક્લબ ઝડપાઈ ગઈ…

July 12, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

દ્વારકા : બોગસ બોટ રજિસ્ટ્રેશન-લાયસન્સ કાંડનો સૂત્રધાર નિવૃત સરકારી અધિકારી !

દ્વારકા : બોગસ બોટ રજિસ્ટ્રેશન-લાયસન્સ કાંડનો સૂત્રધાર નિવૃત સરકારી અધિકારી !

July 12, 2025
લાલ પરિવા૨ના ટ્રસ્ટો દ્વારા તેજસ્વી તા૨લાઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો

લાલ પરિવા૨ના ટ્રસ્ટો દ્વારા તેજસ્વી તા૨લાઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો

July 12, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®