Mysamachar.in-જામનગર:
જામનગર અને દ્વારકા જિલ્લાઓમા ખાસ કરીને તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં એક તરફ વીજધાંધીયા અવિરત છે, તો બીજી તરફ કરોડોનુ વીજમટીરીયલ ઉપયોગમાં લેવાય છે કાં તો વપરાય જાય છે કે પગ કરી જાય છે તેવા અનેક સવાલ ઉભા થાય એ સ્વાભાવિક છે, કેમ કે વારંવાર એક જ જગ્યાના રિપેરીંગ રિપ્લેસમેન્ટ બાદ પણ વીજસપ્લાયની ખરાબ હાલત વગેરે જોતા વીજવિભાગના મટીરીયલ વપરાશના આકડા શંકા પ્રેરક છે તેવુ જાણકારોનુ અનુમાન છે,
જિલ્લા કક્ષાની મીટીંગમાં પ્રશ્ર્નના જવાબમા રજુ થયેલી વિગત મુજબ વર્ષ ૧૭ -૧૮ મા રૂપિયા ૧૮૨ કરોડનુ અને વર્ષ ૧૮ – ૧૯ મા રૂપિયા ૨૩૩ કરોડનુ એટલે બે વર્ષમાં કુલ ૪૧૫ કરોડનુ વીજ મટીરીયલ વપરાઈ ગયુ છે, છતાય અંતરીયાળ ગામડા ને દુરના વિસ્તારોમા તો વીજપ્રશ્ર્નો તો એમ ને એમ જ છે તેનો કોઇ કાયમી ઉકેલ નથી ઉપરથી નબળા રીપેરીંગ થાય છે. તો મટીરીયલ નો ઉપયોગ થાય છે કે પગ કરી જાય છે?? કે વેંચાય જાય છે અને માટે જ સ્ટોક ઉધારવા જેવુ તેવુ રીપેરીંગ કરે છે?? વગેરે જેવા અનેક સવાલો જાણકારો એ ઉઠાવ્યા છે.