• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, August 2, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

શાળા સંચાલકો સરકાર સામે કયો નવો દાવ ખેલે છે ?!

My Samachar by My Samachar
September 8, 2022
in અમદાવાદ
Reading Time: 1 min read
A A
શાળા સંચાલકો સરકાર સામે કયો નવો દાવ ખેલે છે ?!
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-અમદાવાદ:

ગુજરાતનાં શિક્ષણ જગતમાં નવાજૂની માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. અંદાજે 550 શાળાઓનાં સંચાલકોની એક બેઠક યોજાઇ હતી જેમાં શાળા સંચાલકો સરકાર પાસેથી વધુમાં વધુ છૂટછાટ મેળવવાની ગણતરી રાખતાં હોવાનું જાહેર થયું છે. આચાર્યો અને શિક્ષકો સહિતની ભરતીઓમાં શાળા સંચાલકો પોતાનો હિસ્સો માંગી રહ્યા છે અને આ અંગે બેઠકમાં ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે. આ બેઠકમાં વિવિધ આઠ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

રાજયની 550 શાળાઓનાં સંચાલકોની આ બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે, શાળાઓમાં સરકાર 2:1 નું ભરતી પ્રમાણ ગોઠવે. એટલે કે, ત્રીજાં ભાગનાં સ્ટાફની નિમણૂંક શાળા સંચાલકો કરે અને 66 ટકા સ્ટાફની ભરતી સરકાર કરે. આ ઉપરાંત સરકાર તરફથી શાળાઓને મળતી ગ્રાન્ટની રકમમાં વધારો કરવામાં આવે એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આગામી સમયમાં આ તમામ મુદ્દે સંચાલકો સરકારમાં રજૂઆત કરશે અને જો તેઓની માંગણીઓ અંગે સરકાર હકારાત્મક અભિગમ ન દાખવે તો આગળનાં કાર્યક્રમો જાહેર કરવા એવું પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. શાળા સંચાલકોએ એવી પણ માંગણી કરી છે કે, આચાર્યો અને શિક્ષકો તેમજ કારકૂન અને પટાવાળાઓની ભરતી ઉપરાંત પ્રાયોગિક શિક્ષકો અને ગ્રંથપાલ સહિતની ભરતીઓમાં શાળા સંચાલકોને સતાઓ આપવામાં આવે.

આ ઉપરાંત હાલમાં ફી કમિટી દ્વારા શાળાઓમાં લઘુત્તમ ફી નક્કી કરવામાં આવે છે આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં લઘુમતી સંચાલિત શાળાઓમાં પુનઃ વધુ છૂટછાટ આપવામાં આવે એ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. આ સાથે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓમાં વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની લઘુત્તમ અને મહત્તમ સંખ્યા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આમ જુદાં જુદાં આઠ મુદ્દાઓ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં આ મુદ્દાઓ અંગે સરકારમાં વિસ્તૃત રજૂઆત કરવાનું તથા જરૂર પડ્યે આ માંગણીઓના અનુસંધાને આગળનાં કાર્યક્રમો જાહેર કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.એક તરફ વિધાનસભા ચૂંટણી આવી રહી છે. અને બીજી તરફ સરકાર અને વિપક્ષનાં પ્રચારો અને નિવેદનોમાં શિક્ષણનો મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે જ શાળા સંચાલકોએ ધોકો પછાડવાની તૈયારી કરી હોય, આગામી સમયમાં રાજ્યનાં શિક્ષણજગતમાં નવાજૂનીનાં એંધાણ વર્તાઇ રહ્યા છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગર શહેરના વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી: મુળુભાઈ બેરા

જામનગર શહેરના વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી: મુળુભાઈ બેરા

August 1, 2025
માવઠાંથી ખેતીમાં નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલએ કહ્યું…

લમ્પિ વાયરસ અંગે કૃષિમંત્રીએ શું કહ્યું ?…

August 1, 2025
જામનગરમાં અખંડ રામધૂન : આજે 62મા વર્ષમાં મંગલ પ્રવેશ…

જામનગરમાં અખંડ રામધૂન : આજે 62મા વર્ષમાં મંગલ પ્રવેશ…

August 1, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરની આશરે દસેક હજાર સોસાયટીઝ-એપાર્ટમેન્ટ્સએ હવે…

July 31, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગર શહેરના વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી: મુળુભાઈ બેરા

જામનગર શહેરના વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી: મુળુભાઈ બેરા

August 1, 2025
માવઠાંથી ખેતીમાં નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલએ કહ્યું…

લમ્પિ વાયરસ અંગે કૃષિમંત્રીએ શું કહ્યું ?…

August 1, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®