Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ વર્ષ 1985 થી શરુ થયું અને આજ દિવસ સુધી એટલે કે વર્ષ 2024 માં પણ આ કામગીરી પૂર્ણ નથી થઇ અને એક અંદાજ મુજબ આ કામગીરી વર્ષ 2026 સુધીમાં પૂર્ણ થઇ જશે તેમ સતાવાળાઓ જણાવે છે, સમયાંતરે કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ અલગ ગ્રાન્ટો અને વિશ્વબેંકની મોટી લોન (ગ્રાન્ટ) એમ બધું મળીને અત્યારસુધીમાં જામનગરમાં ભૂર્ગભ ગટરનું નેટવર્ક પાથરવા 400 કરોડ જેટલી રકમ વપરાઈ ચુકી છે.ભૂગર્ભ શાખાના અધિકારીનો દાવો છે કે જુના જામનગરમાં ભૂગર્ભના નેટવર્કનું કામ પૂર્ણ થઇ ચુક્યું છે જયારે નવા ભળેલા વિસ્તારોમાં કામગીરી હાલે ચાલી રહી છે.
જામનગર મહાનગરપાલીકાની ભુગર્ભ શાખાનો કામગીરીનો એક તરફ પ્રોજેક્ટ વર્ક અને ડેવલપમેન્ટ બીજી તરફ ફરિયાદ નિકાલ વિભાગએ બંને માટે એક લીટીમા કહી શકાય કે JMC ભુગર્ભ શાખામા જરૂરીયાત મુજબ નાગરીકોના વસવાટ મુજબ વિસ્તાર મુજબ અને મંજુરીઓ મુજબ સતત વધતુ નેટવર્ક છે અને ફરિયાદ નિકાલમા પણ અવિરત ગ્રોથ છે આ બધુ જ ઇજનેરી કૌશલ્યની કસોટી સમાન હોય છે, પરંતુ સતાધારી પાંખ વહીવટી પાંખ અને ગ્રાઉન્ડ ઉપર થતુ કામ એમ સૌનો સહયોગ સંકલન છે માટે આ બ્રાંચના વિભાગોની ટીમ કાર્યરત છે અને અમૃત યોજનાના આ કામો જરૂરીયાત મુજબ કરતા કરતા દિવસે ખર્ચાળ બનતા જાય છે કેમકે એક તરફ નેટવર્ક વધે તેમ-તેમ તેના સફાઇનું કામ વધતુ જાય બીજી તરફ સ્ટાન્ડર્ડ જાળવતા કામ કરવાનુ હોય માટે સમગ્રપણે ખર્ચ પણ અવિરત વધતો રહે છે જે માટે કેન્દ્ર સરકારની અમૃત યોજના આશિર્વાદરૂપ બને છે.
સમજવા જેવુ એ પણ છે કે વધતા જતા ખુબ જ ટ્રાફીક અને વિકસતા વિસ્તારો અંડર ગ્રાઉન્ડ પાવર ઇન્ટરનેટ વિજ ગેસ ફોન વગેરેની લાઇનોના કારણે પાણીની લાઇનો બદલવી નવી લાઇનો નાખવી જુદી જુદી સાઇટથી ગંદા પાણી લાવવાના પ્રોજેક્ટ વર્ક તેમજ લાઇનોના જંક્શનના અને એસેસરીઝ ને જાળવવાના રીપેર કરવાના કામો ઇજનેરી દ્રષ્ટીએ જહેમતવાળા કામ છે, તેમજ જમીનના સ્તર પોલાણ પથરાવ ઢોળાવ પ્રકાર ઉપયોગ વગેરે વિશેષતા બદલાય તેમજ રોડના કામ વચ્ચે વર્ક બેલેન્સ રાખી કરવામાં નિપુણતાની કસોટી થઇ જાય છે ઉપરાંત આ દરેક નાના મોટા પ્રોજેક્ટ ગ્રાઉન્ડ ઉપર સાકાર થાય તે પહેલા તેનુ ડીઝાઇનીંગ વર્ક પ્રોજેક્ટ રીપોર્ટ કરવાના કામોની કસરત ઘણી હોય છે જેમ પડકાર તેમ ખર્ચનો ગ્રાફ દેખીતી રીતે વધે છે.
-નગરજનોના આરોગ્ય સુખાકારીનો આ પ્રોજેક્ટ ઉડતી નજરે
જામનગર શહેરમાં અલગ અલગ યોજનાઓ દ્વારા ભૂગર્ભ ગટર પાઈપ લાઈન નેટવર્ક, અલગ અલગ સમયાંતરે આગળ વધતું જ રહે છે અને બીજા મહત્વના તબક્કામાં આ ભૂગર્ભ ગટરની ફરીયાદો આધારીત સફાઈ કામગીરી વાર્ષિક રેઈટ ધોરણે ધોરણસર ટેન્ડર પ્રક્રિયા કરી, સ્ટેન્ડીંગ કમિટિની મંજુરી મળ્યેથી કામગીરી લગત એજન્સીઓને સોંપવામાં આવે છે. આમ, ભૂગર્ભ ગટર સફાઈ અંગેની ફરીયાદો અને ખર્ચ ઉતરોત્તર ભૂગર્ભ ગટર પાઈપ લાઈન નેટવર્કની લંબાઈ વધવાને કારણે દર વર્ષે વધતો જાય એ સ્વાભાવિક છે દાખલા તરીકે વર્ષ 2016/17 માં ભૂગર્ભ ગટર પાઈપ લાઈનની લંબાઈ 279.60 કિ.મિ. હતી અને સફાઈનો ખર્ચ આશરે રૂા.73.10 લાખ થયેલ અને ભુગર્ભ ગટરના નેટવર્કમાં ઉતરોત્તર વધારો થતા હાલ દાખલા તરીકે વર્ષ 2023/24 સુધીમાં ભૂગર્ભ ગટર પાઈપ લાઈનની લંબાઈ 905.15 કિ.મિ. અને સફાઈનો ખર્ચ આશરે રૂા.274.47 લાખ જેવો થયેલ છે.ચાર ઝોન તેમાં એક ઝોનમાં ચાર વોર્ડ એવી રીતે મુખ્યત્વે ચોકઅપ અને રીપેરીંગ મેઈન્ટેનન્સના કામ આ શાખા કોન્ટ્રાકટરના માણસો પાસે કરાવે છે,
-સુપ્રિમ કોર્ટની અંડર ગ્રાઉન્ડને લગત ગાઇડલાઇન
જામનગર કોર્પોરેશન વિસ્તારના ભૂગર્ભ ગટરના નેટવર્કમાં થયેલ વધારો અને સરકારના તેમજ સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન મુજબ ભૂગર્ભ ગટર સફાઈની કામગીરી જોખમમુકત રીતે કરવા માટે ધોરણસર સફાઈ કામગીરી માટે વધારાના વાહનો, મશીનો વિગેરેની તાજેતરમાં ભુગર્ભ ગટર શાખા દ્વારા ખરીદી કરવામાં આવેલ છે. જેને ધ્યાને લઈ નવા વર્ષ માટે ભૂગર્ભ ગટરની ફરીયાદ આધારીત જરૂરી સફાઈ કામગીરી માટે નવી ટેન્ડર પ્રક્રિયાની વિગતો બનાવવામાં આવી છે. જેમાં કોઈપણ સંખ્યામાં આવતી ફરીયાદોનો નિકાલ કરવા માટે એક ફિકસ રકમનો અંદાજ તૈયાર કરવામાં આવેલ છે આ ખર્ચમાં સફાઈમિત્રો, પ્રિ-મોન્સૂન અને પોસ્ટ-મોન્સૂનની કામગીરીનો પણ સમાવેશ થાય છે તથા વાહનોના કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન અને મેઈનટેનન્સ વિગેરેની કામગીરી માટેના શહેરના કુલ ચાર ઝોનના ટેન્ડરો અંદાજિત ૨કમ રૂા.420.80 લાખના પ્રસિધ્ધ કરી ભાવો મંગાવવામાં આવેલ છે અને તે અંગેનીધોરણસર મંજુરી અંગેની પ્રક્રિયા પણ પ્રગતિમાં હોવાનુ જાણવા મળે છે
-ભુગર્ભ ગટરને લગત ફરીયાદ નિકાલ માટે નોર્મ્સ મુજબ માળખુ
જામનગર કોર્પોરેશનમાંથી જાણવા મળ્યા મુજબ ભુગર્ભ ગટર જે એસ્ટાબ્લીશ છે તે વિસ્તારોમાંથી કોઇ લીકેજ ની કોઇ મેનોલ ને લગત કામગીરી ઢાંકણા ની વગેરે ફરિયાદો ગંદા પાણી ચોકઅપ થવાથી પણ પાણીજતુ અટકે લાઇન ઉભરાય વગેરે તકલીફ થાય છે તો ક્યારેક બીજા કોઇ ખોદકામ દરમ્યાન ક્યારેક ભુગર્ભ ગટેની પાઇપ લાઇનને નુકસાન થાય તે અંગેની ફરીયાદના કામોનો નિકાલ ઝડપી કરવા નોર્મ્સ મુજબ કાર્યવાહી કરવા ભુગર્ભ ગટર શાખા સતત કાર્યરત હોય છે જે માટે બજેટ અને પ્લાનીંગનો વધારો થતો રહે છે,
-આ પ્રોજેક્ટમાં સંકલન ખૂબ જરૂરી
જામનગરની સાત લાખથી વધુ વસતી125 ચો.કી.મી. નો વિસ્તાર પોણા ત્રણ લાખ પ્રોપર્ટીઝ આ દરેકનો ગંદા પાણીનો નિકાલ અવિરત વધે છે ત્યારે એ તમામ પાણી જમીનની અંદરની મોટી પાઇપ ગટર દ્વારા એકઠુ થાય તેમજ એકઠુ થાય તે એકત્રીત થાય એકત્રીત થયેલ ગંદા પાણીનુ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધીકરણ થાય જેથી રીયુઝ થાય અને જમીન ઉપરની ખુલ્લી ગટરોમાં વહેતા ગંદા પાણી બંધ થતા જાય છે અંડરગ્રાઉન્ડ નેટવર્ક વધે છે જેથી ગંદાપાણીથી થતી ગંદકી ઘટતા મચ્છર માખી જંતુની સમશ્યા નિવારી શકાય તેવા આશય સાથેના કન્ટીન્યુ પ્રોસેસ જે જન સુખાકારી માટે અતિ આવશ્યક છે તે અંગે જામનગર કોર્પોરેશન ભુગર્ભ ગટર વિભાગમાંથી જાણવા મળ્યા મુજબ સતાધારી પાંખ મેયર, ચેરમેન, અને દરેક શાસકો તેમજ વહીવટી પાંખ કમીશનર, ડીએમસી, બ્રાંચ કંટ્રોલીંગ, આસી.કમી., એકાઉન્ટ, ઓડીટ એમ દરેક પદના અને વિભાગના માર્ગદર્શન અને મંજુરીઓ મળતી રહે છે જેથી સમગ્ર ટીમનો કામનો ઉત્સાહ વધે છે અને તેથી જ જન સુખાકારીના આ નેટવર્કના કામો વધતા જ રહ્યા છે.(file image)