Mysamachar.in-જામનગર:
લોકસભાની ચુંટણીના મતદાનને આડે હવે માત્ર ૧૩ દિવસની જ વાર છે, ત્યારે સમગ્ર રાજ્યમાં ચુંટણી પ્રચાર તેજ બન્યો છે,આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ખાતે આવી પહોચ્યા હતા અને જ્યાં તેઑએ જાહેરસભાને સંબોધિત કરી અને બાદમાં સોનગઢ ખાતે પણ સભાને સંબોધિત કરી હતી,આ તમામ કાર્યક્રમો બાદ મુખ્યમંત્રી વિજયરૂપાણી આજે સાંજે જામનગરના રણજીતનગર નજીક આવેલ ખીજડામંદિર વાળી જગ્યા ખાતે આવી પહોચ્યા હતા,જ્યાં તેઑએ જાહેર સભાને સંબોધન કર્યુ હતું,

મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશાળ જનમેદનીને સંબોધન કરતા જણાવ્યુ હતું કે, કોંગ્રેસ પર પ્રહારો કર્યા અને કહ્યું કે એક તરફ ચોકીદાર છે બીજી તરફ ચોરોની જમાત છે અને ચોર લોકો બીજાને ચોર કહેવા નીકળ્યા છે, ત્યારે ચોરોની જમાત મોદી હટાવો મોદી હટાવોની ઝુંબેશ ચલાવે છે.પરંતુ એ લોકોએ ન ભૂલવું જોઈએ કે સોનિયા-રાહુલ ગાંધી ખુદ જામીન પર છે અને લાલુએ ભ્રષ્ટાચાર કરીને પશુઓનો ઘાસચારો ખાધો હતો એટ્લે અત્યારે જેલની હવા ખાવી પડી છે.ત્યારે મોદી હટાવવો છે કે ભ્રષ્ટાચાર હટાવવો છે? એ લોકોએ નક્કી કરવાનું છે.કેન્દ્રમાં 5 વર્ષના શાસનમાં એક પણ ભ્રષ્ટાચારનો દાગ કેન્દ્રની સરકાર પર લાગ્યો નથી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ એક ઈમાનદાર વ્યક્તિ છે, ત્યારે આ વખતેનો ચૂંટણીજંગમાં એક તરફ રાષ્ટ્રવાદ છે બીજી બાજુ પરિવારવાદ છે, કોંગ્રેસ પરિવારવાદમાં ફસાયેલી છે, દેશભરમાં અબ કી બાર ફિરસે મોદી સરકારનો બુલંદ અવાજ ગુંજી રહ્યો છે, જેની સામે પણ મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ પોતાનો વડાપ્રધાનનો ઉમેદવાર જાહેર કરે શા માટે કોંગ્રેસ આવું નથી કરતી કારણ કે ત્યાં બધાને વડાપ્રધાન થવું છે તેવી વાત કરીને એવો પણ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ ઘુસણખોરોને પનાહ આપે છે, રાષ્ટ્રહિતમાં કાર્યવાહી સામે કોંગ્રેસ સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગે છે તે મુદ્દે પણ રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી,

આ વખતે જનતા કોંગ્રેસનો સફાયો કરવાની છે, સાથોસાથ અતિ મહત્વના કાશ્મીર મુદ્દાને લઈને જણાવ્યુ હતું કે ૩૭૦ની કલમ હટાવવાની એવું કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં છે, ત્યારે આ ચુંટણીનું ખુબ મહત્વની બની કે, ત્રાસવાદીઓનો સફાયો મોદી સરકારે કર્યો છે, એટલે જ આ વખતની ચૂંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચે છે.જ્યારે લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમ પ્રવચન આપવા ઉભા થતાની સાથે જ વિશાળ જનમેદનીમાંથી “પૂનમબેન તુમ આગે બઢો..હમ તુમ્હારે સાથ હૈ..”ના સૂત્રોચ્ચારથી વિશાળસભા ગાજી ઉઠી હતી. ત્યારે પૂનમબેન માડમે પણ વિશાળ જનમેદનીને સંબોધન કરતા જણાવ્યુ હતું કે ભાજપના શાસનમાં છેવાડાના જામનગર જેવા જિલ્લાની અવલ્લ નોંધ પાછલા 5 વર્ષમાં લેવાઈ છે.

આ વિસ્તારના ૧૩ વર્ષથી અનેક પ્રશ્નનો પડતર હતા તેનું નિરાકરણ કરવામાં સફળતા મળી તે વાતનો આનંદ પણ પૂનમબેને વ્યક્ત કર્યો હતો,વધુમાં કેન્દ્ર સરકારે ૩ નેશનલ હાઈવેની આ જિલ્લાને ભેટ આપીને વિકાસની યાત્રામાં વધુ આગળ વધી રહ્યા છે.પૂનમબેને જીતનો શ્રેય ભાજપની ટીમને આપતા કહ્યું કે જીત વ્યક્તિગત કે પાર્ટીની નથી હોતી તે આખા વિસ્તારની જીત હોય છે તે વાત પર ભાર મૂક્યો હતો.

રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે આગામી લોકસભાની ચૂંટણી પર દુનિયાની નજર છે. ત્યારે કોંગ્રેસ વર્ષોથી ગુજરાતને અન્યાય કરીને સરદાર સરોવર ડેમના દરવાજા લગાડવા માટે કોઈ કામ કર્યું નહીં અને કેન્દ્રમાં ભાજપ સરકાર આવતા નર્મદા ડેમના દરવાજા લગાવવાની મંજૂરી તાબડતોબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપીને ગુજરાતના ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો હતો, ત્યારે હાઈવે, રેલવે સહિતના મહત્વના વિકાસના કામો ફળદુએ વર્ણાવ્યા હતા અને દ્વારકા મરીન પોલીસ એકેડમીની પણ કેન્દ્ર સરકારે ભેટ આપી છે.જામનગર શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચાએ પણ જંગી જાહેરસભાને સંબોધન કરતા જણાવ્યુ હતું કે ગત વખતની લીડ કરતા સવાઇ લીડથી પૂનમબેનને જીતાડવા છે તેવી વાત પણ ઉપસ્થિત સૌ કોઈ સમક્ષ મૂકી અને કાર્યકરો અને આગેવાનોને કામે લાગી જવા હાકલ કરી હતી,

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મંત્રી આર.સી.ફળદુ, મંત્રી હકૂભા જાડેજા, પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વમંત્રી પરમાનંદ ખટ્ટર, પૂર્વમંત્રી મૂળુ બેરા, જામનગર લોકસભા સીટના ચૂંટણી ઇન્ચાર્જ અને પૂર્વમંત્રી ચીમન સાપરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય મેઘજી કણજારિયા, જામનગર ગ્રામ્ય ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ, પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી, પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડા, મેયર હસમુખભાઇ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા,કાર્યકરો, કોર્પોરેટરો, મહામંત્રીઑ સહિતના ભાજપના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા ભાજપ અને શહેર ની ભાજપ ટીમે તેમજ શહેરના ૧૬ વોર્ડ પ્રમુખો વગેરેએ ફૂલહારથી CMનું ભવ્ય સ્વાગત કર્યું હતું,
