• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, November 25, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

મ્યુકોર્માયકોસિસના લક્ષણો તેના નિદાન અને કાળજી વિશે વિસ્તૃત માહિતી આપતા જી.જી. હોસ્પિટલના તજજ્ઞો

My Samachar by My Samachar
May 10, 2021
in જામનગર
Reading Time: 1 min read
A A
મ્યુકોર્માયકોસિસના લક્ષણો તેના નિદાન અને કાળજી વિશે વિસ્તૃત માહિતી આપતા જી.જી. હોસ્પિટલના તજજ્ઞો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર

હાલ કોવિડની સાથે સાથે સમગ્ર રાજ્યમાં મ્યુકોર્માયકોસિસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે આ રોગના લક્ષણો તથા આ રોગથી બચવા લોકોએ કેવા પગલાં તથા કાળજી લેવી જોઈએ તે અંગે જી.જી.હોસ્પિટલના તજજ્ઞો દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

-ઇ.એન.ટી. વિભાગના ડો.નિરલ મોદી જણાવે છે કે મ્યુકોર્માયકોસિસમાં કોવિડ હિસ્ટ્રી ધરાવતા દર્દીને માથામાં દુખાવો થવો, નાકમાં દુખાવો થવો અથવા લોહી નીકળવું, ચહેરા પર એક તરફ દુખાવો થવો, દાંત ઢીલા પડી જવા, એક તરફ માથું દુખવું આ બધા પ્રાથમિક લક્ષણો છે. ડાયાબિટીસ, કોવિડના ગંભીર દર્દીઓ તેમજ લાંબા ગાળાની કિડનીની બીમારી હોય તેવા લોકોને મ્યુકોર્માયકોસિસ થવાની શક્યતાઓ વધી જાય છે. ત્યારે તાત્કાલિક નિદાન તથા સારવાર લેવાથી મ્યુકોર્માયકોસિસથી થતા નુકસાનથી બચી શકાય છે કારણ કે આ રોગ આંખમાં, નાકમાં કે મગજ સુધી પ્રસરે ત્યારે દર્દી માટે મુશ્કેલીઓ વધી શકે છે. જો કોઈ પણ દર્દીને ઉપર મુજબના કોઈપણ લક્ષણો જણાય તો તેણે તાત્કાલિક નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે.

-આંખ વિભાગના ડો.રાધાએ જણાવ્યું હતું કે, કોવિડના ગંભીર દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્ષણો જોવા મળે છે. આ રોગ કાનના રસ્તેથી આંખ તથા મગજ સુધી પહોંચે છે આવા સંજોગોમાં દર્દીની દ્રષ્ટિ ગુમાવવાની શક્યતાઓ પણ વધી જાય છે. ત્યારે જો દર્દી તાત્કાલિક સારવાર લે તો મ્યુકોર્માયકોસિસથી થતા નુકસાનથી બચી શકે છે. આ રોગની સારવાર માટેની તમામ અત્યાધુનિક સુવિધાઓ જી.જી. હોસ્પિટલ ખાતે ઊભી કરવામાં આવેલી છે.

-મેડીસીન વિભાગના વડા ડો.મનીષ મહેતાએ કહ્યું કે મ્યુકોર્માયકોસિસને કઈ રીતે અટકાવી શકાય ?

મ્યુકોર્માયકોસિસને અટકાવવા અંગે મેડિસિન વિભાગના વડા ડો.મનીષ મહેતાએ જણાવ્યું હતુ કે, આ રોગથી બચવા સુગરને સંતુલીત રાખવું, જરૂર પડે ઈન્સ્યુલીનનો ઉપયોગ કરવો, સ્વચ્છતા રાખવી,બિમારીના લક્ષણો જણાયે તુરંત સારવાર શરૂ કરવી ખુબ જરૂરી છે. આ માટે તજજ્ઞોને અલગથી તાલીમ આપવામાં આવી રહી છે તેમજ જી.જી.હોસ્પિટલની ઈન્ફેકશન કન્ટ્રોલ ટીમ પણ સતતકાર્યરત છે.

-મ્યુકોર્માયકોસિસ અંગે જી.જી.હોસ્પિટલ ખાતે કેવી છે તૈયારીઓ ?

જી.જી. હોસ્પિટલ ખાતે મ્યુકોર્માયકોસિસની સારવાર માટે કરવામાં આવેલી તૈયારીઓ અંગે માહિતી આપતા કોરોના નોડલ ઓફિસર ડો.એસ.એસ.ચેટરજી જણાવે છે કે, જી.જી.હોસ્પિટલમાં મ્યુકોર્માયકોસિસના દર્દીઓની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જે માટે કોવિડ બિલ્ડિંગમાં 44 બેડનો અલગથી ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં મેડિકલ સારવાર તથા જરૂર પડ્યે સર્જીકલ સારવાર પણ કરવામાં આવી રહી છે. કોવિડ હોસ્પિટલ ખાતે 44 બેડ તથા જુની જી.જી.હોસ્પિટલ ખાતે 30 મળી કુલ 74 બેડની વ્યવસ્થા ઊભી કરાઇ છે. જ્યાં હાલ જુની હોસ્પિટલ ખાતે 17 તેમજ કોવિડ હોસ્પિટલ ખાતે 22 મળી કુલ 39 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

સુપ્રિમે કહ્યું: જો ગુજરાતમાં આવું થતું હોય તો….

છેતરપિંડી-વિશ્વાસઘાતના મામલાઓમાં અદાલતો જાગૃત રહે: SC

November 25, 2025
નાબાર્ડનો સર્વે કહે છે: ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો બચત કરી શકતાં નથી…

મંજૂરીઓ : બંદરો સંબંધિત નવી 6 પોલિસી…

November 25, 2025
મિલકત દસ્તાવેજ નોંધણીમાંથી તલાટીનો દાખલો ‘out’…

મિલકત દસ્તાવેજ નોંધણીમાંથી તલાટીનો દાખલો ‘out’…

November 25, 2025
કૂતરાંનો ત્રાસ : જામનગરની જીજી હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણ રેઢીયાળ..!

કૂતરાંનો ત્રાસ : જામનગરની જીજી હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણ રેઢીયાળ..!

November 25, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

સુપ્રિમે કહ્યું: જો ગુજરાતમાં આવું થતું હોય તો….

છેતરપિંડી-વિશ્વાસઘાતના મામલાઓમાં અદાલતો જાગૃત રહે: SC

November 25, 2025
નાબાર્ડનો સર્વે કહે છે: ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો બચત કરી શકતાં નથી…

મંજૂરીઓ : બંદરો સંબંધિત નવી 6 પોલિસી…

November 25, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®