Mysamachar.in:જામનગર
જામનગરમાં સિક્યુરીટી ગાર્ડનું ઘર જ સુરક્ષિત નથી તેવો એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. આ કિસ્સાની હકીકત એવી છે કે જામનગર શહેરના લાલવાડી વિસ્તાર નજીક અટલ આવાસ બનેલ છે આ આવાસમાં વસવાટ કરતા અને સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા રાજેન્દ્રસિંહ ભીખુભા જાડેજાના ના ઘરમા કોઇ ચોર ઇસમેં પ્રવેશી ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમા પ્રવેશી ઘરમા રહેલ લોખંડના કબાટનો દરવાજો તથા અંદરનુ ખાનુ તોડી તેમા રહેલ બે સોનાની વિંટી જે બન્ને થઇ અડધા તોલાની જેની કિ.રૂ.10,000/- તથા કાનમા પહેરાવાની બે સોનાની કડી જે બન્ને થઇ અડધા તોલાની જેની કિ.રૂ.10,000/- રોકડ રુપીયા-45,000/- એમ સોના દાગીના તથા રોકડ રુપીયા મળી કુલ રુપીયા 65,000/- ની ચોરી કરી લઈ ગયાની પોલીસ ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.