• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, July 12, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

હડિયાણા ગામે કંકાવટી નદીના કિનારે બિરાજમાન છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ

આ વિસ્તાર થતા આસપાસના વિસ્તારમાં સૌથી પૌરાણિક મંદિર છે

My Samachar by My Samachar
August 21, 2024
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
હડિયાણા ગામે કંકાવટી નદીના કિનારે બિરાજમાન છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ હડીયાણાના કંકાવટી નદીના કાંઠે પૌરાણિક ઐતિહાસિક હડિયાણા નામે ગામ આવેલ છે. આ ગામનું પ્રાચીન નામ હરિપુર હતું. હાલમાં આ હરિપુર ગામનું નામ હડિયાણા છે. એક સમયે આ ગામ ઔદિચ્ય બ્રાહ્મણોની વસ્તીથી છલકાતું હતું. આ ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણોના આશરે 350 જેટલા ઘરો હતો. જ્યારે પણ બ્રાહ્મણ સમાજની નાત તેડાવવામાં આવતી, ત્યારે આશરે 42 મણ ચૂરમાના લાડવા બનાવવામાં આવતા હતા.

બ્રાહ્મણોની વસ્તીવાળા આ હડિયાણા (હરિપુર) ગામના આથમણાં પાદરેથી કંકાવટી નામની નદી વહે છે. આ કંકાવટી નદીના કિનારે આથમણી દિશાએ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન શિવજી બિરાજમાન છે. આ મંદિરની બાજુમાંથી કંકાવટના નિર વહે છે અને આ નદીના કિનારે જ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું ભવ્ય શિવાલય આવેલ છે. આશરે 6 ફૂટ ઊંચી આરસની ફરસબંધી પર મંદિરના ગગનચુંબી શિખરો અહીંથી પસાર થનાર કોઈપણને આકર્ષે છે.

શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં એક અત્યંત પ્રાચીન શિલાલેખ આવેલ છે. જે કાળક્રમે ખવાઈને ભુસાઈ ગયેલ છે. છતા આ જુના ખવાઈ ગયેલ શિલાલેખ પરથી અને ઈતિહાસકારોની ગવાહી પરથી જાણી શકાય છે કે સંવત 0577 માં રાજા ગોંડ પંડિત કાનાજીએ આ કાશી વિશ્વનાથ મહાદેવનું ભવ્ય શિવાલય બનાવડાવ્યું હતું. વળી, આ શિલાલેખ પરથી એ પણ સાબિત થાય છે કે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર ખૂબ જ પ્રાચીન છે.

હાલ, હડિયાણા વિસ્તારમાં રહેતા બ્રાહ્મણો તથા અન્ય ભાવિકો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની ભાવભરી ભક્તિ કરે છે તથા સમગ્ર ગામના લોકો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના ચરણોમાં મસ્તક ટેકવવા જાય છે. પવિત્ર શ્રાવણ માસમાં મંદિરને શણગાર કરી સુશોભિત કરવામાં આવે છે, ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે તેમજ મંદિરમાં કિર્તન બોલવામાં આવે છે. આ સમયે આજુબાજુના વાતાવરણમાં ગામમાં એક અનોખો જ માહોલ સર્જાય છે. આની સાથોસાથ પવિત્ર શ્રાવણ માસમાં સાતમ, આઠમ, નોમ તેરસ, ચૌદસ અને અમાસના દિવસે આ મંદિરના મેદાનમાં ગ્રામ્ય નાના લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે.

આ ગામમાંથી અનેક બ્રાહ્મણ વિદ્વાન પંડિત હાલ વિદેશમાં વશે છે, આ ગામની મુળ વતન સમાં તથા જાણીતા કવિ અને સાહિત્યકાર કરસનદાસ માણેકના જન્મ સ્થાન એવા હડિયાણાનો પ્રાચીન ઈતિહાસ હજુ ઘણો જાણવા જેવો અને માણવા જેવો છે, ગાયોના રક્ષા કાજે અનેક લોકોએ આ ગામમાંથી શહીદી વહોરી લીધી છે. તેમના પરિવારજનો આજે પણ ગામમાં મોજુદ છે. તેમના પરિવારજનો આજે પણ કાળી ચૌદસના દિવસે નૈવેધ ધરવા માટે આવે છે. આ ગામમાં રાવલ પરિવારના કુળદેવી શ્રી ખંભલાવ માતાજીનું પૈરાણિક મંદિર વર્ષોથી બિરાજમાન છે, એ જ રીતે માંડવિયા પરિવારમાં રાવલ, પંડ્યા, સોની પરિવારના કુળદેવી પણ છે, નવરાત્રિ દરમિયાન આઠમના દિવસે આ માતાજીના મંદિરે નવચંડી હોમ હવન કરવામાં આવે છે. દેશ વિદેશથી માતાજીના ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. હડિયાણા ગામે પાંચ શિવમંદિર આવેલ છે. જે સ્વયંભુ પ્રગટ થયેલા છે. (1) શ્રી વિશ્વનાથ મંદિર (2) શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર (3) શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર (4) શ્રી સુખનાથ મહાદેવ મંદિર (5) શ્રી જાગનાથ મહાદેવ મંદિર (તસ્વીર અને અહેવાલ શરદ રાવલ હડીયાણા)

SendShareTweetShare

Join Us on Social

Recent News

 ધ્રોલના રોજિયાની વાડીમાં ધમધમતી જૂગાર ક્લબ ઝડપાઈ ગઈ…

 ધ્રોલના રોજિયાની વાડીમાં ધમધમતી જૂગાર ક્લબ ઝડપાઈ ગઈ…

July 12, 2025
જામનગરના જાંબુડા અને રાજવડમાં વીજઆંચકો 2 યુવાનને ભરખી ગયો..!

જામનગરના જાંબુડા અને રાજવડમાં વીજઆંચકો 2 યુવાનને ભરખી ગયો..!

July 12, 2025
વધુ 5 કમોત : ધૂમાડો 3 ને અને વીજઆંચકો 2 ને ભરખી ગયો..

વધુ 5 કમોત : ધૂમાડો 3 ને અને વીજઆંચકો 2 ને ભરખી ગયો..

July 11, 2025
જામનગર વીજતંત્રના ‘પાર્ટટાઈમ’ કર્મચારી મામલે મહત્ત્વનો ચુકાદો…

જામનગર-દ્વારકા સહિતના વીજતંત્રના બધાં જ ફોલ્ટ સેન્ટર હવે ખાનગી કંપનીના હવાલે…

July 11, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

 ધ્રોલના રોજિયાની વાડીમાં ધમધમતી જૂગાર ક્લબ ઝડપાઈ ગઈ…

 ધ્રોલના રોજિયાની વાડીમાં ધમધમતી જૂગાર ક્લબ ઝડપાઈ ગઈ…

July 12, 2025
જામનગરના જાંબુડા અને રાજવડમાં વીજઆંચકો 2 યુવાનને ભરખી ગયો..!

જામનગરના જાંબુડા અને રાજવડમાં વીજઆંચકો 2 યુવાનને ભરખી ગયો..!

July 12, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®