• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, May 30, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

કોરોનાની હાલની વિપરીત સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ ટકાવી રાખવાં કેટલાક ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો

My Samachar by My Samachar
April 30, 2021
in લાઇફ સ્ટાઇલ
Reading Time: 1 min read
A A
કોરોનાની હાલની વિપરીત સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ ટકાવી રાખવાં કેટલાક ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

ગુજરાત  સરકાર આયુષ નિયામક દ્વારા કોવિડની હાલની વિપરીત સ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખાવા કેટલાક ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો સુચવ્યા છે. જામનગર જિલ્લામાંથી કોરોનાને નાબૂદ કરવાં માટે દરેક વ્યકિતએ આ ઉપાયો અપનાવવા જોઇએ. જેથી કોવિડ-૧૯ સામે આપણે રક્ષણ મેળવી શકીએ. 

-દિવસભર ગરમ પાણી પીવું. કફ, શરદી, શ્વાસ અને કોવિડ સંબંધિત તકલીફ હોય તેમણે ૧ ચમચી સૂંઠ, ૨ લિટર પાણીમાં નાખીને ૧ લિટર વધે ત્યાં સુધી સવારે ઉકાળવું અને નવશેકું ગરમ દિવસ ભર લેવું વધુ હિતાવહ છે.

-રસોઈમાં હળદર, જીરું,  ધાણાં અને લસણનો ઉપયોગ કરવો. બાફેલા મગનો વઘાર કરીને ગરમ સૂપ પીવો. ઘરનો સાત્વિક, સુપાચ્ય, હળવો- ગરમ ખોરાક લેવો જોઇએ. બાજરી અથવા ઘઉંના લોટને ઘીમાં શેકી અજમો, સૂંઠ, હળદર, ગોળ નાખી ગરમ રાબ લેવી. શાકભાજીમાં કારેલા,  પરવળ,  દુધી,  કોળું,  સરગવો, આદુ,  હળદર,  લસણ અને ફુદીનો લેવાં. ફળમાં પાકું પપૈયુ, દાડમ, પાકી કેરી, મોસંબી આમળા જેવા સુપાચ્ય ફળ લેવા જોઇએ.

-સૂર્યોદય પહેલા જાગી જવું, નિયમિત અને પ્રમાણસર ઉંધ લેવી. જમીને ડાબા પડખે ૩૦ મિનિટ સુધી વામકુક્ષિ આરામ કરવો. ઘરમાં કરી શકાય તેવી હળવી કસરત જેવી કે, સૂક્ષ્મ વ્યાયામ કરવો.

-આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ (ઓછામાં ઓછા ૩૦ મિનિટ માટે) કરવો. હર્બલ ટી/ઉકાળો -તુલસી-તજ-કાળા મરી- સૂંઠ અને મુનક્કા અથવા કાળીદ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા ઉકાળો પીવો. ગોળ અને તાજા લીંબુનો રસ- જરૂર હોય તો ઉમેરી શકાય. દિવસમાં એક કે બે વાર ગરમ ઉકાળો લેવો. ગોલ્ડન મિલ્ક- અડધી ચમચી હળદર ૧૫૦ મિલી ગરમ દૂધમાં ઉમેરી દિવસમાં એક કે બે વાર લેવું. ઉકળતા પાણીમાં અજમો, ફૂદીનો નાખી નાસ લેવો. ગરમ પાણીમાં હળદર-મીઠુ નાખી કોગળા કરવા.સૂર્યના કુણા તડકાનું સેવન કરવું. ઘર, સંસ્થાઓમાં કપૂર, ગુગળ, લીમડાના પાન, સરસવ, અડાયા છાણા અને ગાયનું ઘી નાખી ધુપ કરવો. નસ્ય-બંને નસકોરામાં તલનું તેલ નારિયેલનું તેલ અથવા ઘી ના એક બે ટીપાં નાખવા.

-ઠંડા પીણાનો ઉપયોગ ટાળવો. ફીજનું ઠંડુ પાણી પીવુ નહી. પચવામાં ભારે,  તળેલા,  મીઠાઇ,  શ્રીખંડ, આથાવાળા, વાસી, ફ્રીજમાં રાખેલ તથા જંક ફુડ જેવા ખોરાકનો ઉપયોગ કરવો નહીં. લાંબાસમય સુધી ભુખ્યાં રહેવું નહીં. તેમજ ભૂખ કરતાં વધારે પ્રમાણમા જમવું નહીં. પચવામાં ભારે તથા ચિકણાં શાકભાજી તથા વાયુ કરે તેવા શાકના લેવા જેમ કે, ભીંડા, ગવાર વગેરે વધુ ન લેવાં. પચવામાં ભારે તથા ચિકણાં ફળો જેમ કે, કેળા, જામફળ, સીતાફળ વિગેરે ન ખાવાં. 

-રાત્રે ઉજાગરા કરવાં નહી. દિવસે જમીને તરત વધુ ઉંઘવુ નહીં. વધુ પરિશ્રમ અને વ્યાયામ કરવો નહીં. વધુ ઠંડા પીણાં ન લેવાં. કફ વધારે તેવો શેરડીનો રસ, લસ્સી ન લેવાં. ફ્રીજનું ઠંડુ દૂધ, ઠંડી છાસ ન લેવી. 
એ.સી. તથા એરકુલરનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો. સિન્થેટીક સ્પ્રે વગેરેનો ઉપયોગ ટાળવો. નસ્ય-શાસ્ત્રીય ના હોય તેવા આયુષ મંત્રાલયેના સૂચવેલ પ્રયોગો ન કરવાં.

આ ઉપાયો ઉપરાંત નજીકના સરકારી આયુર્વેદ દવાખાના કે હોસ્પિટલ કે અન્ય આયુર્વેદ ચિકિત્સાલયના રજિસ્ટર્ડ આયુર્વેદ ચિકિત્સકના માર્ગદર્શનમાં આપની પ્રકૃતિ અને રોગ વિગેરેની અવસ્થા મુજબ આપને માટે સ્વસ્થ રહેવા જરૂરી આહાર વિહારનું માર્ગદર્શન મેળવી તેનું અનુસરણ કરવું વધુ હિતાવહ છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

PMJAY :અમદાવાદ જેવો (કુ)ખ્યાતિકાંડ જામનગરમાં સર્જાઈ એ પહેલાં…

રાજ્ય સરકારના અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને PMJAY યોજના સંદર્ભે માર્ગદર્શિકા

May 29, 2025

2 કેસ : પ્રિય પાત્રને પામવા, ઘોર પાપ કે અતિ ક્રૂર ઘાતકીપણું આચરવાની હદે જઈ શકે છે માણસ ! 

May 29, 2025
વિકાસકામોની ભરમાર પાછળનું અસલી ગણિત કાંઈક આવું હોય છે….

10 ફ્લાયઓવર-ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ સાથે જામનગરની ‘મહાનગર’  બનવા તરફ આગેકૂચ..

May 29, 2025
જામનગરમાં ફૂડચેકિંગની ‘હરતીફરતી’ લેબોરેટરી તમે કયારેય જોઈ છે ?!

જામનગરમાં ફૂડચેકિંગની ‘હરતીફરતી’ લેબોરેટરી તમે કયારેય જોઈ છે ?!

May 29, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

PMJAY :અમદાવાદ જેવો (કુ)ખ્યાતિકાંડ જામનગરમાં સર્જાઈ એ પહેલાં…

રાજ્ય સરકારના અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને PMJAY યોજના સંદર્ભે માર્ગદર્શિકા

May 29, 2025

2 કેસ : પ્રિય પાત્રને પામવા, ઘોર પાપ કે અતિ ક્રૂર ઘાતકીપણું આચરવાની હદે જઈ શકે છે માણસ ! 

May 29, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®